________________
૧
પ્રાકૃત વ્યાકરણા
આવી છે. ગ્રંથના અંતમાં પ્રાકૃત શબ્દ-કોષ જુદા જુદા મથાળા હેઠળ આપવામાં આવ્યા છે અને પ્રાકૃત શબ્દોની સામે સંસ્કૃત શબ્દ પણ આપ્યાં છે. આ ચેાથી આવૃત્તિની ભૂમિકામાં અર્ધમાગધીભાષા, લેાકભાષા, વિભાષા, ભાષાના પ્રાંતિક ભેટ્ટા, અવેસ્તાની ભાષા વગેરે સાથે પ્રાકૃત ભાષાની તુલનાત્મક દૃષ્ટિએ ચર્ચા કરવામાં આવી છે. જે ભાષાના વિદ્યાર્થી એ માટે બહુ ઉપયોગી ગણાય. પાંચમી આવૃત્તિની એક વિશેષતા એ છે કે એમાં પાકિટપ્પામાં હેમચન્દ્રના મૂળ સૂત્રેા ટાંકવામાં આવ્યા છે.
સંસ્કૃત જાણનાર હેમચન્દ્રના મૂળ વ્યાકરણ ગ્રંથથી પ્રાકૃતના અભ્યાસ કરી શકે છે પરંતુ સંસ્કૃતભાષાથી અનભિજ્ઞ આજને વિદ્યાથી ‘પ્રાકૃત માર્ગાપદેશિકા'ના માધ્યમથી પ્રાકૃતનું સમ્પૂર્ણ પણે અધ્યયન કરી શકે છે. એ આ ગ્રંથની વિશેષ ઉપયોગિતા છે.
આમ માહિતીસભર આ ગ્રંથ અનેક વ્યાકરણા પ્રસિદ્ધ થયાં છે પણ ગૌણુ થવા પામી નથી અને આજે અયેાગ્ય નહી ગણાય.
આજે પણ બહુ ઉપયાગી છે. આજ સુધી પ્રાકૃત ભાષાના પંડિતજીના ગ્રંથની જે વિશેષતાએ છે તે કાઈ પણ રીતે પણું એમને! આ ગ્રંથ સર્વોપરિતા ધરાવે છે એમ કહેવુ
૨. પ્રાકૃત વ્યાકરણ (૧૯૨૫)
પ્રાકૃત માર્ગાપદેશિકા'ની રચનાના ૧૪ વર્ષ પછી પડિતજીના બીજો ગ્રંથ પ્રાકૃત વ્યાકરણ' પ્રકાશિત થયા. આઝાદીની લડત દરમ્યાન આપણી સંસ્કૃતિના ગૌરવસમા સંસ્કૃત, પાલિ, પ્રાકૃત વગેરે પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના એક અંગ રૂપે પુરાતત્ત્વ માઁદિરે મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક પ્રવૃત્તિ શરૂ કરી. એમાં અનેક મહારથીએ ભેગા મળીને કામ કરવા લાગ્યા. બધાની પ્રેરણાથી પડિતજી લ`કા જઈ પાલિ ભાષા અને સાહિત્યનુ` અધ્યયન કરી આવ્યા. ત્યાર પછી પાલિ-પ્રાકૃત ભાષા અને સાહિત્યને પ્રકાશમાં લાવવાની ચાજના હેઠળ તેઓએ ‘પ્રાકૃત વ્યાકરણ' નામના આ ગ્રંથ તૈયાર કર્યાં અને ઈ. સ. ૧૯૨૫માં એનું પ્રકાશન થયું.
'પ્રાકૃત માર્ગાપદેશિકા' નામના ગ્રંથ વિદ્યાથીએ માટે લખાયા હતા જ્યારે પ્રાકૃત વ્યાકરણુ’ વિદ્યાર્થી એ, અધ્યાપકા અને સંશાધકા માટે લખાયુ' છે. એમાં બધી પ્રાકૃત ભાષાઓની સાથે સાથે પાલિ અને અપભ્રંશભાષાનું તુલનાત્મક અધ્યયન રજૂ કરવામાં આવ્યું છે. ગ્રંથ ગુજરાતી ભાષામાં લખાયા હૈાવા છતાં એની લિપિ દેવનાગરી છે જેથી ગુજરાત સિવાયના લેાકેાને પણ એ ઉપયાગી થઈ શકે.
પ્રારંભમાં ૫૦ પાનનાં પરિચય હેઠળ વૈદિક રૂપે અને પાલિ રૂપો સાથે પ્રાકૃત રૂપોની તુલના કરવામાં આવી છે. અમુક ધાત્વાદેશો ધ્વનિપરિવર્તનના નિયમેાથી બદલાયેલા રૂપો જ છે એમ સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે, જેમ કે એલિ' અને ‘સહુ' ને ‘આલિ' અને ‘સૂમ'ના આદેશ માનવાને બદલે તેમની ઉત્પત્તિ ‘આવલી' અને ‘લક્ષ્ણ'માંથી માનવી જોઈએ. અ માગધી ભાષાને અર્ધમાગધી કહેવી કે માત્ર પ્રાકૃત જ કહેવી એની ચર્ચા બહુ વિસ્તારથી અશાકના શિલાલેખે, પાલિ, પ્રાચીન જૈન અને જૈનેતર પ્રાકૃત પ્રથામાંથી ઉદાહરણૢા આપીને કરવામાં આવી છે. આ નવીન પરિભાષાને લીધે પ્રાકૃત માર્ગાદેશિકાની પાંચમી આવૃત્તિમાં જયાં જયાં અર્ધમાગધી શબ્દ વપરાયા છે, ત્યાં ત્યાં પ્રાકૃત શબ્દ મૂકવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org