________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો : ૩૭ શ્રવણાદિ ક્રિયાની સમાપ્તિ થયે જ્ઞાન થાય છે. સારાંશ એ છે કે ક્રિયાકાળમાં કાર્ય દેખાતું નથી માટે તે નથી પણ ક્રિયાની નિષ્ઠા થયે તે દેખાય છે તો ક્રિયાકાળમાં નહિ પણ ક્રિયાનિષ્ફાકાળમાં તે માનવું જોઈએ. માટે માનવું જોઈએ કે મિથ્યાદષ્ટિ અને અન્નાની સમ્યક્ત્વ અને જ્ઞાનને પામે છે, પણ સમ્યગ્દષ્ટિ કે સમ્યગ્દાની નહિ.
-વિશેષા૦ ગા૦ ૪૧૭
નિશ્ચયનય : અજાત હોય તે જાત થાય એ માની શકાય તેવી વાત નથી, કારણ કે જે અજાત છે તે અભાવરૂપ છે અને અભાવની તો ખવિષાણુની જેમ ઉત્પત્તિ સંભવતી જ નથી. માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈ એ હે. અને જો અજાત પણ ઉત્પન્ન થતું હોય તો ખરવિષાણુ પણ ઉત્પન્ન થાય. માટે અસત્ત્ની નહિ પણ સતની ઉત્પત્તિ માનવી જોઈ એ. આથી જ અમે કહીએ છીએ કે સમ્યકત્વીને અને સમ્યગ્નાનીને સમ્યક્ત્વ અને સમ્યગ્નાન થાય છે, મિથ્યાત્વીને નહિ,
-વિશેષા૦ ગા૦ ૪૧૮
વળી, જેમ સતતી ક્રિયા માનવામાં ક્રિયાનો વિરામ નહિ થાય તેમ અસતતી ક્રિયા માનવામાં ક્રિયાનો વિરામ નહિ થાય, કારણ, તમે અસત્ એવા ખરવિષાણુ વિષે ગમે એટલી ક્રિયા કરો પણ તે કદી ઉત્પન્ન જ થવાનું નહિ. આમ ક્રિયાવિરામનો અભાવ તો બન્ને પક્ષે સમાન છે. પણ વધારામાં અસકાર્ય પક્ષે એ ક્રિયાવિરામ આદિ દોષોનો પરિહાર શકય નથી. સત્ એવા આકાશાદિ વિશે પર્યંયન્તરની અપેક્ષાએ ક્રિયાવિરામ ધટી શકે છે, પણ અસતમાં તો એવો પણ સંભવ રહેતો નથી. વળી, ઉત્પત્તિની પૂર્વે કાર્ય સર્વથા અસત હોય તો તે જેમ ઉત્પત્તિ પછી દેખાય છે તેમ ખરવષાણુ પણ પછી કેમ નથી દેખાતું? માટે માનવું જોઈ એ કે કાર્ય, ઉત્પત્તિની પૂર્વે ખરવિષાણુ જેમ સર્વથા અસત્ નથી. આમ સર્વથા અસતની ઉત્પત્તિ માનવામાં દોષો છે, જેનું નિવારણ થઈ શકતું નથી.
-વિશેષા૦ ગા૦ ૪૧૯
વળી, કાર્યનિષ્પત્તિમાં દીર્ઘકાળની વાત કરી તે પણ યુક્ત નથી, કારણ કે ધડાની ઉત્પત્તિ પહેલાં સ્થાસાદિ અનેક કાર્યો ઉત્પન્ન થાય છે તે કાર્યો પ્રતિસમયે ઉત્પન્ન થાય છે અને તે પરસ્પર વિલક્ષણ પણ છે. આમ ધણા બધા કાર્યો માટે લાંબો કાળ ગયો તેમાં એ બધો કાળ ધક્રિયાનો હતો એમ ક્રમ કહેવાય?
-વિશેષા૦ ગા॰ ૪૨૦ વળી, કાર્યની ક્રિયાના આરંભમાં તે દેખાતું નથી માટે તે સત્ હોઈ શકે નહિ એવો જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેનો ઉત્તર એ છે કે તમે જે ક્રિયાનો આરંભ કહો છો તે તેની ક્રિયાનો તો આરંભ છે નહુિં તો પછી તે ત્યારે કેવી રીતે દેખાય ? જેમ પટનો આરંભ કરીએ ત્યારે ઘટ જોવાની આશા રાખવી એ વ્યર્થ છે તેમ ઘટ પહેલાનાં જે સ્થાસાદિ કાર્યો છે તેની ક્રિયાના પ્રારંભમાં પણ જો ઘટ ન દેખાય તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને સ્થાસાદિ કાંઈ ધડો નથી જેથી તેના આરંભે તે દેખાય. માટે આરંભમાં દેખાતો નથી—ઇત્યાદિ જે આક્ષેપ છે તે યુક્ત નથી.
-વિશેષા૦ ગા૦ ૪૨૧
વળી, ઘડો અંતિમ ક્ષણમાં દેખાય છે માટે તેને તે ક્ષણમાં સત્ માનવો જોઈ એ, પૂર્વક્રિયાકાળમાં નહિ—એ જે તમે કહ્યું તેમાં અમારે એટલું જ કહેવાનું છે કે ધડાનો પ્રારંભ તો અન્ત્યક્રિયાકાળમાં જ છે તેથી તે અન્યક્રિયાકાળે દેખાય છે. આમાં શું અજુગતું છે ?
વળી, વર્તમાનકાળમાં જ્યારે તે ક્રિયમાણુ છે ત્યારે તેને કૃત ન માનો અને અકૃત માનો તો પછી તેને કૃત કયારે માનશો? અતીત કાળ તો નષ્ટ હોઈ રીતે કરી શકશે ? અને
અસત્ છે તો તે તેને કેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org