________________
ર૯ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રથ ઊઠતાં કવિત્તોને બાદ કરતાં ચૌપાઈઓ અને દુહાઓની કડીઓની સંખ્યા ૬૨૦ છે. પોતાના રાષ્ટ્રના ગૌરવની કે પોતાની અસ્મિતાની રક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની પ્રેરણા આપતા આ વીરકાવ્યનું મૂલ્ય ચિરંતન છે. કવિવર હેમરત્નની આવી પ્રેરક અને બળકટ બાનીમાંથી થોડીક કાવ્યપ્રસાદી અહીં નીચે રજૂ કરવામાં આવે છે :
ખંડ પહેલો કથાના મુખ્ય વીરોનો નિર્દેશ કરતાં કવિ શરૂઆતના દુહામાં કહે છે? સામિ-ધરમ જિણિ સાચવિ, વીરા રસ સવિશેષ | સુભટાં મહિ સીમા લહી, રાખી ખિત્રવટ રેખા || ૬ || ગોરા રાવત અતિ ગુણી, વાદલ અતિ બલવંતા
બોલિસુ વાત બિહુ તણી, સુણિયો સગલા સંત | ૭ || ચિત્રકૂટ (ચિત્તોડ)નું વર્ણન કરી કવિ રાજા રતનસેનનો પરિચય આપે છે: તિણિ ગઢિ રાજ કરઈ હિલોત, રતનસેન રાજ જસ-જેતા પ્રબલ પરાક્રમ પૂર પ્રતાપ, પેસી ન સકઈ જસુ ઘટિ પાપ ૧૮ ! અવનિ ઘી લગ અવિચલ આણ, ભાલિ પડૅ જસુ બાઈ ભણT વેરી કંદ તણુઉ કુદ્દાલ, રણ-૨સીઉ નઈ અતિ રુંઢાલ | ૧૯.
પદ્મિની નારીનું સામાન્ય વર્ણન: ભમર ઘણુ ગુંજારવ કરશું, પદમિણિ-પરિમલ મોહ્યા કિર, પદમિણિ તણુઉ પરંતર એહ, ભૂલા ભમર ના છેડ દેહને ૮૭ ||
ખંડ બીજે
પવિણીનું દુહામાં વિશેષ વર્ણન: વાદલ મહિ જિમ વીજલી, ચંચલ અતિ ચમકંતિ. મહલ માહિતિમ તે તણુઉં, ઝલહલ તનુ ઝલકંતિ || ૧૧૪ / પાન પ્રહસ્ય પદમિણી, ગલિ તંબોલ ગિલંતિ | નિરમલ તન તંબોલ તે, દેહ મહિય દી સંતિ | ૧૧૫ / હંસ-ગમણિ હેજ હસઈ, વદન-કમલ વિસંતિ | દંતકુલી દીસઈ જિસી, જાણિ કિ હીરા હૃતિ || ૧૧૬ ||
વ્યાસ રાઘવચેતન; રાજાનો કોપ; વ્યાસની વિચારણા : તિણિ પુરિ રાઘવ ચેતન વ્યાસ, વિદ્યારું અધિક અભ્યાસ રાજા તિણિ રીઝવી ઘણું, મુહત ઘણું ઘઈ વ્યાસ તણું . ૧૨૩ || એક દિવસ પદમણિ નઈ પાસ, જા બેઠ કરી વિલાસ | નેહ નિતંબની ચુંબનિ કરઈ, રાજ આલિંગન આચરઈ / ૧૨૫ || તિ િપ્રસ્તાવ રાઘવ વ્યાસ, હતઉ ૫દમિણિ તણુઈ આવાસ | તે દેખી રજા ખુણસી, રાઘવ ઊપરિકોપ જ કીજે ૧૨૬ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org