________________
મા દયકાલીન ગુજરાત ના મુખ્ય જૈન સાહિત્યકારો
વિજયરાય કલ્યાણરાય વૈદ્ય
ભારતીય સંસ્કૃતિના સર્વ અભ્યાસીઓ જાણે છે તેમ, ભારતવર્ષના આર્યોના આર્યત્વના અમૃતરસે
જેનાં મૂળ સિંચન પામ્યાં છે, હજી પાપે જાય છે, તે ધર્મવૃક્ષની વૈદિક, જેન તથા બૌદ્ધ એ ત્રણ બહુવિધ ફળફૂલ-પણે લચેલી સુન્દર શાખાઓ છે. એ પ્રત્યેકના પ્રવર્તકોની–ભૃગુસંગિરાત્રિ આદિ ઋષિમુનિઓની, મહાવીરસ્વામીની તથા ભગવાન તથાગત બુદની ગણના જગતની વિરલ વિભૂતિઓમાં થાય છે. આજથી શતકોના શતકો પર એ અધ્યાત્મદર્શ અધ્યાત્મપ્રભાવી મહાત્માઓએ આ દેશની પ્રજામાં અધ્યાત્મલક્ષી બલકે અધ્યાત્મનિષ્ઠ વેદધર્મ, જૈનધર્મ તથા બૌદ્ધધર્મને જદા જુદા સમયે પ્રવર્તિત કર્યા. એ પ્રત્યેકની આર્ષવાણીથી પ્રભાવિત થઈને, કહો કે એ વચનામૃતને આત્મસાત કરીને આપણા દેશનાં પ્રજાજનોએ એના લાક્ષણિક ભિન્ન ભિન્ન પ્રદેશોમાં યુગે યુગે વે ન્હે ર્મષ્યમિરતઃ સંસિ રમતે ના એ પ્રાચીન તો યે નિત્યનવીન ભગવવચન અનુસાર ધર્મપાલન દ્વારા જીવનસિદ્ધિ પૂર્વસંસ્કારબળે કરી છે અને સંસ્કૃત, અર્ધમાગધી તથા પાલીથી માંડીને અન્યોન્ય દેશભાષાઓ દ્વારા વિવિધ સાહિત્યસિદ્ધિ પણ તે તે ધર્મસંસ્કતિના ઉપાસક અસંખ્ય સારસ્વતોએ કરી છે. એ ઘણું કવિઓ અને થોડા ગદ્યસ્વામીઓમાંના જે જે આ ગુર્જરભૂમિમાં આપણા સાહિત્યના આદિકાળથી (ડૉ. મુનશીના “ગુજ, એન્ડ ઈટ્સ લિમાં ઉલ્લેખિત તરંગાવતીના કવિ પાદલિપ્તાચાર્ય (ઈ. સ. ૫૦૦ પહેલાં) તથા હરિભદ્ર (૭૫૦) ધર્મકથાઓના રચયિતા: આ બંનેનો ઉલ્લેખ અહીં વચ્ચે કરી લેવો ઘટે)–આદિકાળથી ઈસવી અઢારમી સદી સુધીમાં થઈ ગયા તેમાંના મુખ્યની સાહિત્યસેવાનો ઇષત્પરિચય સંક્ષેપમાં કરાવવાનો ઉપક્રમ છે. એ નિવિદને પાર પડે એ માટે, જૈનધર્મ તો પણ સર્વધર્મ-સમભાવી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે સોમનાથ ભગવાનની (જે તરવે એક, પણ સ્વરૂપાન્તરે તો અમારા ઇષ્ટદેવ છે તે હાટકેશની) સ્તુતિ જે અમર શ્લોકથી કરી છે તેનાથી આરંભ કરવો ઉચિત લાગે છે?
यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यथा तथा वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् नमोस्तुते।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org