________________
૧૭૮ ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ
એકલડી વનમાં ગોરડી, સબળ ફળી બીજી બીજેરડી; વાડ નહીં ને નહિ કો નાથ, વાટે કોણ ન વાહે હાથ. નવયૌવન નહીં કહેની વાડ, શીળે તો નહીં કુણ પાડ. જિમ તિમ કરી આપું રાખવું, બીજું સહુ દૂર નાખવું. શીળે સઘળાં સંકટ ટળે, શીળે મનવાંછિત સવિ ફળે; શીળે સુર નર કરે વખાણ, ગણવું જીવું તાસ પ્રમાણ.
મણિ માણિક પણ સોને તોય, કનકતણ જે આશ્રય જોય; વલ્લી નિતા પંડિત જાણ, આસિફે કરી શોભે નિરવાણ નારીને એહજ બળ જેય, કે સાસરું કે પીહર હોય; તો પીહર જાઉં દુઃખ કટે, કોશલા ભણું જાવું નવિ ઘટે. સાસુ સસરા દેવર જેઠ, કંત હોય તો માને નેટ; પતિ વિણ હોએ બહુ અંતરું, એ સઘળું જોયું નાતરું, હાલ હુકમ તોહ જ સ્ત્રી કરે, પિઉો જે બેઠો હોય ઘરે; કંત વિના કેહવી કામિની, ચંદા વિના જેહવી યામિની. સ્ત્રી પહર ને નર સાસરે, સંયમી વસવું થિર કરે; જે રહેતાં આમણ દૂમણું, છેડે જાતાં અળખામણ. તો પણ પહરે માને કાર, નારીને પીહર આધાર;
કાંઈ અવગુણ હોએ નેટ, તોહે ઢાંકે તે મા–પેટ. ત્યાર પછી સિંહકેસરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનો પ્રસંગ કવિએ વર્ણવ્યો છે. કૂડકપટથી ભરેલો કુબરનો પુત્ર સિંહકેસરી કેવળજ્ઞાન પામે છે એમાં પિતાપુત્ર વચ્ચે કેટલું બધું અંતર જણાય છે? પરંતુ સંસારમાં કર્મની ગતિને કારણે આમ બને છે. કબર અને સિંહકેસરી વિશેની આવી વિચારણા આ કવિ સિવાય બીજા કોઈ કવિએ કરેલી જોવા મળતી નથી. કવિ લખે છે :
કૂબર તો કૂડે ભય રે, પુત્ર થયો ઋષિરાજ; પિતાપુત્ર કહો ચું ઠરે રે, સરજવું કરમે કાજ. અહી મસ્તકે ક્યું મણિ, સોવન રેત વિકાર; પંક થકી પંકજ હોયે, મ્યું જાતે અધિકાર. શ્રેણિક પહેલી ભોગવે, કોણિક છઠ્ઠી હોય;
અભય મેઘકુમાર ઋષિ, અનુત્તરે સુર હોય. દવદંતી ઋતુપર્ણ રાજાને ત્યાં આવે છે, દાનશાળામાં દાન આપે છે, પિંગળ ચોરને બચાવી, ઉપદેશ આપી સંયમ લેવડાવે છે, હરિમિત્ર બ્રહ્મણ દવદંતીની ભાળ કાઢી એને કુલિનપુર લઈ જાય છે, દવદંતીનાં માતાપિતા એને આશ્વાસન આપે છે, નળ અગ્નિમાં બળતા સાપને બચાવવા જાય છે ત્યાં સાપ એને કરડે છે; એ નળના પિતા નિષધ દેવ છે અને તે નળને દિવ્ય વસ્ત્રાવરણ આપે છે, નળ સુસમારપુર આવે છે અને ત્યાં ગાંડા હાથીને વશ કરી દધિપર્ણ રાજાની કૃપા મેળવે છે–આ બધા પ્રસંગો કવિએ ચોથા ખંડમાં આલેખ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org