________________
૧૭ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ
એવી જ રીતે કદંબ રાજા સાથેના યુદ્ધનો પ્રસંગ પણ કવિએ થોડી પંકિતઓમાં માત્ર વિગત નિર્દેશ કરીને જ રજૂ કર્યો છે :
કટક સજાઈ લેઈ ચઢ્યો, માંડે ઝૂઝ અલંબ; નળ છ પુણ્ય કરી, ભાગો રાય કદંબો રે ખરું વિમાસી તિણ નૃપ, લીધો સંયમ ભાર
તસુ પાયે લાગે નળ તિહાં, સહુ કહે જયજયકારો રે. નળ પોતાના ભાઈ કૂબર સાથે જુગાર રમે છે તે કર્મને વશ થઈને એમ બતાવતાં કવિ કહે છે:
ચંદન કો ચન્દ્રને, લંછણ જલનિધિ ખાર; તિમ નળને જુવટાતણો અવગુણ એક અપાર. દોષ મ દેજો જાતિને, માતપિતા નવિ દોષ દોષ જ દેજે કર્મને, ફોક મ કર શોષા મત જાણે ઉત્તમત, એહથી વંક ન હોય. ચંદનથી ઊઠે અગનિ, વન બાળતી જોય. સમુદ્રપિતા ભાઈ ચન્દ્રમા, બહિની લાછિ સરીખ;
શંખ સરીખો ફૂટડો, ઘર ઘર માંગે ભીખ. નળ જ્યારે જુગાર રમે છે ત્યારે દવદંતી એને એમ ન કરવા માટે સમજાવે છે. એ પ્રસંગે કવિએ દવદંતી પાસે માત્ર જુગાર જ નહિ, સાતે વ્યસન ન સેવવા વિશે નળને ઉપદેશ અપાવ્યો છે. એ માટે કવિએ આ બીજા ખંડની આખી એક ઢાળ લખી છે.
નળ જુગારમાં હારે છે અને વનમાં જતી વખતે પાંચસો હાથ ઊંચો સ્તંભ ઉખેળીને ઉપાડે છે, જેથી એને ખાતરી થાય છે કે ભવિષ્યમાં પોતે પાછો રાજ્યનો ઘણી થશે. મહાન પુરુષોના જીવનમાં આવતી આવી ચડતી પડતી વિશે આ પ્રસંગે કવિ કેવી સદષ્ટાન્ત સુભાષિતાત્મક પંક્તિઓ પ્રયોજે છે તે જુઓ :
લોક કહે છે વાણી ઘણી, નળ હોસ્પે કોશળનો ધણી, મોટા માણસ આપદ જય, સંપદ પુણ મોટાને હોય. ચંદ્ર વધે ને ચંદ્ર જ ઘટે, તારા શું વાધે શું ઘટે ? નળ હેતે લોક સહુ સુખી, પણ કોઈને નવ કીધા દુઃખી. નળ થાજે પુહલીનો ધણી, વહેલો આવો કોશળ ભણી. ઈશાં લોક વચન ઊચરે, સાંભળી નળ મનમાંહે રે, રાજ કમાયું તે પ્રમાણ, સહુ યે જેહનાં કરે વખાણ. જળપૂરે નદી કરે સુસુઆલિ, ઝાડ ઉપાડે નહીં કહીં પાડિ; વર્ષા ગઈ ઊડે તિહાં ધૂળ, પાપ કર્યું રહ્યું તે મૂળ. વેળા વહેતે ડાહ્યો થાય, સઘળા દિન સરખા નવિ જાય.
અરહટ-ઘટિકા આવે ફરી, એક ગળી બીજી જળ ભરી. રાસના ત્રીજા ખંડમાં ભીલ લોકો નળનો રથ લઈ જાય છે, નળ દવદંતીનો વન માં ત્યાગ કરે છે દવદંતીને એ વખતે સ્વમ આવે છે, જાગ્યા પછી નળને ન જોતાં તે રુદન કરે છે, વનમાં આમતેમ ભમે છે, માર્ગમાં એને એક રાક્ષસ મળે છે, ત્યાર પછી દવદંતી ગુફામાં જઈને રહે છે અને વર્ષામાંથી તાપસીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org