________________
સ્થૂલિભદ્રવિષચક ત્રણ ફાઝુકાવ્યો : ૧૫૭
વસંત આવે છે અને વિરહિણી સ્ત્રીનું ઔાય જાગી ઊઠે છે. આ ઉત્સુકતાને કવિ કેવી વાણીભંગીથી વ્યક્ત કરે છે અને એને કેવા કેવા અનુરૂપ પ્રકૃતિસંદર્ભમાં મૂકી આપે છે તે જુઓ : વનમાં વસંતઋતુ ગહગહતી આવી, કુસુમાવલિ પરિમલથી મહેકી ઊઠી, મનોહર મલયપવન વહેવા લાગ્યો અને પ્રિયને જાણે ઊડીને મળે એમ થવા લાગ્યું ૧૪.
ઊડીને પ્રિયને મળવાની આકાંક્ષાને માટે પ્રસરતા પરિમલ અને વહેતા મલયપવનનો સંદર્ભ કેવો કાવ્યમય અને પ્રતીકાત્મક બની રહે છે !
ઔત્સુક્યનો ભાવ કવિ એત્રણવાર હાથમાં લે છે પણ એને ઘૂંટીને ઘેરો બનાવતા જાય છે. એક વખત એ વિરહિણીને લોકલજ્જાનો ત્યાગ કરીને પ્રિયની પાછળ પાછળ ભમવાનું મન થાય છે, તો જી વખતે એની કલ્પના ઉન્મત્ત બનીને પેલા પોપટને પુકારી રહે છે :
પોપટ, રસ્તે જતાં હું તને લાખલાખ કેસૂડાં આપીશ, જો એકવાર તું મને તારી પાંખ પ્રસારીને મારા સજનની પાસે પહોંચાડી દે !૧૫
ધૃષ્ટતા અને ઘેલછાના ભાવો ઔસુયની સાથે કેવા ગૂંથાતા આવે છે! આ તો નવયૌવના છે. એ જાણે છે કે :
યૌવનકાળે એને વિરહ કેટલો વસમો લાગતો હશે! કવિ પ્રકૃતિની સંયોગાવસ્થાના વિરોધમાં એના આ વિરહને મૂકીને એની વિષમ વેદના પ્રગટ કરે છે :
વેલ ઉપર કુંપળ ફરીને આવે છે, ફરીફરીને ચંદ્ર પણ ઊગે છે, પણ પ્રેમલતાના કન્દ સમાન યૌવન ફરીને આવતું નથી.૧ ૬
૧૬
ખીજી વખતે જાગ્રત અવસ્થાના આ વિયોગને કવિ સ્વપ્નાવસ્થાના સંયોગને પડછે મૂકે છે. જાગ્રત સત્ય છે, અને સ્વપ્ન તો છે મિથ્યા. આ મિથ્યાની જાળમાં ફસાતી સ્ત્રીનું વિરહદર્દ ઊલટાનું ઘેરું બની જાય છે. મિથ્યા મિલન રચાવી આપતાં સ્વપ્નોને એ રોષપૂર્વક કહે છે :
તરૂવર અને વેલીને આલિંગન દેતાં જોઈ તે ચિત્ત ક્ષુભિત થઈ જાય છે. ભરયૌવને પ્રિયતમ વેગળો છે અને એને ક્ષણ પણ વીસરી શકાતો નથી,૧૭
૧૪ વસંત ઋતુ વિન આન્યુ ગહેગડી,
પિરમલઇ કુસુમાવિલ મહુમહી, મલચા વાય મનોહર વાઈ,
૧૫ કેસૂડાં પંથિ પાલવે, સૂડા દઉં તુઝે લાખ,
પ્રઉનઇ ઊંડી મલઉં મ થાઇ, ૩
Jain Education International
એક વાર મુઝ મેલિ ન સર્જન પસારી પાંખ. ૩૬
વલી રે કુંપલડીય વેલડી, વલી વલી ઊગઈ ચંદ્ર, પણ ન લે ગયુ યોવન, પ્રેમલતાનું કંદ.
૫
૧૭ તરુ અરવેલ આલિંગન દેખિય સીલ સલાય, ભરયૌવન પ્રિય વેગલ, ખણુ ન વિસારીઓ જાઈ.
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org