________________
સ્થૂલિભદ્રવિષયક ગણું ફાગુમાવ્યા : ૧૫૫ એમનું લક્ષ છે. સાદા અકૃત્રિમ રવાનુકરણથી પણ આપણાં આંખકાનને વર્ષોનું વાતાવરણ કવિ કેવું પ્રત્યક્ષ કરાવી દે છે !–
ઝરમર ઝરમર ઝરમર મેઘ વરસે છે, ખળખળ ખળખળ ખળખળ પ્રવાહો વહે છે, ઝબઝબ ઝબઝબ ઝબઝબ વીજળી ઝબકે છે,
થરથર થરથર થરથર વિરહિણીનું મન કંપે છે. ૧૧ રવાનુકારી શબ્દપ્રયોગ અ૮૫ માત્રામાં હોય તો જ મધુર લાગે, કવિએ એ મર્યાદા જાળવી છે. ઉપરાંત, કવિના પ્રકૃતિચિત્રની એક બીજી લાક્ષણિકતા અહીં ધ્યાન ખેંચે છે. ત્રણ પંક્તિમાં વર્ષાનું વાતાવરણ આલેખી ચોથી પંક્તિમાં કવિ એ વાતાવરણમાં વિરહિણીના ચિત્તની જે અવસ્થા થાય છે એને આલેખે છે. એટલે કે પ્રકૃતિચિત્રની અહીં કશી સ્વતંત્ર સાર્થકતા નથી; માનવભાવને અર્થે જ કવિ પ્રકૃતિચિત્રને યોજે છે. આખુંયે વર્ષોવર્ણન વિપ્રલંભશૃંગારની સરસ પીઠિકા બની રહે છે :
જેમ જેમ મેઘ મધુર ગંભીર સ્વરે ગાજે છે તેમ તેમ કામદેવ જાણે કે પોતાનું કુસુમબાણ સજજ કરી રહ્યા હોય તેમ લાગે છે; જેમ જેમ કેતકી મઘમઘતો પરિમલ પ્રસરાવે છે તેમ તેમ કામી પુરુષ પોતાની પ્રિયતમાને પગે પડીને મનાવે છે. જેમ જેમ શીતલ કોમલ સુરભિયુકત વાયુ વાય છે તેમ તેમ ગવમંડિતા માનિની નાચી ઊઠે છે; જેમ જેમ જલભર્યા વાદળ આકાશમાં એકઠાં મળે છે તેમતેમ
કામીજનનાં નયનમાં નીર ઝળહળી ઊઠે છે૧૩ કેવું સંક્ષિપ્ત છતાં સર્વગ્રાહી નિરાભરણ અને સહજસુંદર આ પ્રકૃતિચિત્ર છે અને કવિએ માનવહૃદય સાથે એનો કેવો કાવ્યમય સંબંધ પ્રસ્થાપિત કરી આપ્યો છે!
કોશાના અંગસૌંદર્યના અને વસ્ત્રાભૂષણના વર્ણનમાં કવિએ આવી જ યથાર્થ શૈલીમાં આરંભ કર્યો છે. કોશાના હૃદયહારના લડસડાટનો, પાયલના રણકારનો, કંડલના ઝગમગાટનો અને આભૂષણોન ઝળહળાટન કવિ એક કડીમાં રવાનુકારી શબ્દપ્રયોગથી આપણાં આંખ-કાનને અનુભવ કરાવી દે છે,
૧૨
૧૧ બ્રિઉિમર ઝરમર ઝરમર એ મેહ વરસંત,
ખહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ, ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઈ થરહર રિહર રિહર એ વિરહિણભણ કંપઈ. ૬. મહુરગંભીરસરણ મેહ મિજિમ ગાજેતે, પંચબાણનિય કુસુમબાણ તિગતિમ સાજંતે, જિમજિમકેતકી મહમહંત પરિમલ વિહસાવઈ,
તિમતિમ કામિ ય ચરણ લગિ નિયરમણિ મનાવઈ. ૭. ૧૩ સીલકોમલસુરહિ વાય જિમ જિમ વાયંત,
માણમડમ્ફર માણસ ચ તિમ તિમ નાચંતે, જિમ જિમ જલભરભરિય મેહ ગયસંગણિ મિલિયા તિમ તિમ કામી તણાં નયણ નીરહિ ઝલહલિચા. ૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org