SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય માહાભ્યનાં ભૌગોલિક તો અમૃત પંડ્યા પશ્ચિમ ભારતના ઈતિહાસમાં વલભી (એનું નવું નામકરણ “વલ્લભીપુર” ખોટું છે. “વલભી' અને - “વલ્લભી” એ બંને જુદા જુદા અર્થો ધરાવતા શબ્દો છે. એ “વલભીપુર જઈએ.) એ રાજકીય તથા સાંસ્કૃતિક એ બંને રીતે ખાસ મહત્ત્વ ધરાવતું નગર રહ્યું છે. એ ઈચ્છી લગભગ ૫૦થી ૭૬૬ સુધી મૈત્રક વંશનું પાટનગર રહ્યું હતું. અહીં અનેક સાહિત્યકારો થયા છે અને પુસ્તકો રચાયાં છે. “શત્રુંજયમાહામ્ય” લખનાર શ્રીધનેશ્વરસૂરિનું નામ પણ એ બધાંમાં જાણીતું છે. એ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે વલ્લભી ખાતે સંવત ૪૭૭માં બૌદ્ધલોકોની બુદ્ધિને નિરાશા ઉપજાવનાર શ્રીચંદ્રગથ્થરૂપી સમુદ્રની અંદર ચંદ્રમાં સરખા અને જાગ્રત ગુણોને ધારણ કરનાર શ્રીધનેશ્વરસૂરિએ યાદવવંશના આભૂષણરત્ન અને તીર્થોનો ઉદ્ધાર કરનાર અહંન્તભકત શ્રી શિલાદિત્યરાજાની ભલામણથી આ શત્રુંજયમાહાભ્ય” લખ્યું હતું. શત્રુંજયમાહાત્મ્યને સદગત ડૉ. ભગવાનલાલ જી, એમ. ટી. જેકસન (બૉમ્બે ગેઝેટીઅર, ગ્રંથ પ્રથમ, ભાગ ૧, ૧૮૯૬, પૃ. ૯૧) અને ડૉ. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ (રાજપુતાનેકા ઇતિહાસ, ગ્રંથ પ્રથમ, પૃ. ૩૮૫–૯) એટલા માટે વખોડી કાઢયું છે કે એમાં કુમારપાલ (ઈ૧૧૪૩-૭૪), વસ્તુપાલ (ઈ. ૧૧૮૪-૧૨૪૦) અને સમરાશાહ(સમરસિંહ કે જેણે ઈ. ૧૩૧૫માં શત્રુનો ઉદ્ધાર કરેલો)નાં નામો આવે છે તથા તેમાં પુરાણોની શૈલીએ ભવિષ્યમાં થશે તે રીતે કેટલાક રાજાઓની કારકિર્દી આપી છે. પરંતુ એથી કરીને આ પ્રાચીન પુસ્તકનું મહત્ત્વ ઓછું થતું નથી. અસલ શત્રુજ્યમાહામ્ય સંવત ૪૭૭માં રચાયું અને આગળ જતાં જેમ જેમ તેની નવી નકલો થતી ગઈ તેમ તેમ તેમાં શત્રુંજયના ઉદારને લગતી તત્કાલીન વિગતો ઉમેરાતી ગઈ તેથી કરી એ ગ્રંથ ઐતિહાસિક માહિતીની દષ્ટિએ બિનઉપયોગી છે એવું એ વિદ્વાનોનું વિધાન ખોટું છે. ગ્રંથ રચ્યાનો સંવત એ “વલભી સંવત્ ” રહ્યો હોવો જોઈએ કારણકે ૪૭૭માં વલભી ખાતે મૈત્રકોનું રાજ્ય નહોતું. આ હિસાબે એ ગ્રંથ ૪૭૭ + ૩૧૯ (વલભી સંવત એ ગુપ્ત સંવતની જેમ ઈ. ૩૧૯થી શરૂ થાય છે) એટલે કે ઈ૭૯૬માં રચાયેલું ગણાય. પણ એમાં કયાંક ગડબડ થઈ છે. વલભીનું પતન શિલાદિત્ય છટ્ટાના સમયે ઈ ૭૭૬માં થયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy