________________
જપના અર્થ
એવી છે કે જે શબ્દ ઈશ્વર કે ભગવાનના કોઈપણ નામનું - સૂચન કરતે હોય, અથવા જે શબ્દ મંત્રપદ તરીકે માન્ય
થયેલે હોય, અથવા ગુરુએ શિષ્યને અનુગ્રહબુદ્ધિથી જે શબ્દ કે શબ્દનું રટણ-ચિન્તન કરવાનું કહ્યું હોય, તેના રટણને જપ સમજ.
- અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે ઈશ્વર કે - ભગવાનનું કોઈ પણ નામ શાન્તિમંત્રનું કામ કરનારું હોઈ
એક પ્રકારનું મંત્રપદ જ ગણાય છે અને ગુરુએ શિષ્યને - અનુગ્રહબુદ્ધિથી જે શબ્દ કે શબ્દનું રટણ-ચિંતન કરવાનું
કહ્યું હોય, તે પણ મંત્રનું રૂપ ધારણ કરે છે, તેથી છેવટે તો મંત્રરૂપ શબ્દના રટણને જ જપ સમજવાનો છે. - આપણે દશ માણસેને ભેગા કરીને પૂછીએ કે “તમે
જે૫ કરશે?” તે તેઓ તરત પૂછશે કે “કયા મંત્રનો?” " એટલે જ તો મંત્રપદનો જ થાય, એ આપણે સંસ્કાર રૂઢ ' છે અને તેને ખ્યાલમાં રાખીને જ આપણે ચાલવાનું છે.
અગ્નિપુરાણમાં જપને લાક્ષણિક અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યું છે
जकारो जन्मविच्छेदः, पकारो पापनाशकः । .. तस्माजप इति प्रोक्तो, जन्मपापविनाशकः ॥
જપ શબ્દ બે અક્ષરનો બનેલો છે. એક જ અને બીજો પ, તેમાં) જ જન્મનો વિચ્છેદ કરનાર છે અને એ પાપનો નાશ કરનાર છે. આ રીતે જન્મ અને પાપને વિનાશ કરનાર હોવાથી તે જપ કહેવાય છે.”