________________
૨૮૨
નમસ્કારમંત્રસિદ્ધિ ચોથે પ્રકાશ નથી ખંડન કરાતો તે સુરાપુરુષ કુપાખંડીઓ વડે, નથી વિડંબના પમાડાતે મન, વચન અને કાયાના દંડવડે, તથા નથી દંડાતે ક્રોધાદિકપાવડે, જે ઉપાધ્યાયનો આશ્રય કરે છે. ૧.
મા-મા” એટલે લક્ષ્મી અને “મા” એટલે પાર્વતી, શ્રી, હી, ધૃતિ, અને બ્રાહ્મી આ દેવીઓ, જેઓ ઉપાધ્યાયની ઉપાસના કરે છે, તેઓના શરીરમાંથી દૂર જતી નથી. એ પ્રમાણે સિદ્ધિ મહર્ષિઓને આદેશ છે. ૨.
કપાધ્યાય તે કહેવાય છે કે જેઓ મૂત્તિમાન ઉદયરૂપ છે, સમ્યગદૃષ્ટિ આત્માઓના ઉત્સવરૂપ છે અને શ્રેષ્ઠ બુદ્ધિમાનના ઉત્સાહરૂપ છે. ૩.
વચન, શરીર, વય અને હૃદય આચારેવડુ–ઉપાધ્યાય મહાત્માની, વધની વાર્તાથી પણ રહિત છે તથા શાસ્ત્રને આધીન છે. ૪.
કક્ષા એ અક્ષર ઉવજઝાયાણું પદમાં રહેલ છે, તે શું સૂચવે છે? એકાન્ત-અનિત્ય-દષ્ટિને જીતી લેવાથી ઉત્પન્ન થયેલ ઉપાધ્યાયના થશરૂપી ભ ભા(ભેરી)નો કાર (ગુંજારવ) દિશાઓને વ્યાપ્ત કરે છે. ૫.
-જે (સાધુઓને) સાત નયના જ્ઞાનમાં ચતુરાઈ પ્રાપ્ત થાય છે, જે પરશાસ્ત્રોમાં નિપુણતા પ્રાપ્ત થાય છે અને જે દ્વાદશાંગી સૂત્રની પ્રાપ્તિ થાય છે, તે ઉપાધ્યાય સિવાય કયાંથી થાય? અર્થાત ન જ થાય. ૬.
i અક્ષર ત્રણ રેખાવાળા અને માથે અનુસ્વારવાળો છે, એ એમ જણાવે છે કે વિનય, શ્રત અને શીલાદિ ગુણ મહાનન્દમેક્ષ પ્રાપ્તિ માટે જાગ્રત છે. ૭. સાત રાજલક પ્રમાણુ ઊર્વલકના માર્ગને પ્રકાશ કરવામાં દીપકની જેમ અત્યન્ત ઉજજવલ આ ચોથા “નમો સલાયા' પદના સાત અક્ષરે મારા સાત વ્યસનને નાશ કરે. ૮.
ઇતિ ચતુર્થ પ્રકાશ સમાપ્ત