________________
ધ્યાનવિધિ
૨૮૩
વાસુખીજ ચિંતવી તેનાથી પ્રજવલિત થયેલા અગ્નિ ઇંધણાંનેતથા પાતાને ખાળી રહ્યો છે, એમ ચિંતવું અને તેમાં પેાતાનું આખું શરીર મળી ગયું છે અને માત્ર આત્મા બાકી રહ્યો છે, એમ ચિંતવવું. પછી વૅ ખીજ આકાશમાં અધામુખ થઈને પેાતાના ઉપર મેદ્યરૂપે અમૃતને વર્ષાવી રહ્યું છે અને પેાતે અમૃતના સરોવરમાં તરી રહ્યો છે, એમ ચિતવવું.
છેવટે અરિહંતાની મંગલશક્તિ, સિદ્ધોની મગલશક્તિ તથા સાધુઓની મંગલશક્તિના મારામાં આવિર્ભાવ થઈ રહ્યો છે અને મારું જીવન મંગલમય ખની રહ્યુ છે, એમ ચિતવવુ. શિરશિખા, ભૃકુટિના મધ્યભાગ, કે પ્રદેશ તથા નાભિ— કમળમાં પણ પરમેષ્ઠીઓનું ધ્યાન ધરી શકાય છે.
'
આ ધ્યાનમાં મનેાવૃત્તિ સ્થિર થતાં હું ધ્યાતા અને નમસ્કારમંત્ર એ ધ્યેય' એવા ભેદ ભૂલાશે અને હું જ મંત્ર છું એવા ભાવ ઉત્પન્ન થતાં મત્રનુ અભેદ ચિંતન થવા લાગશે, જેને માંત્રિક પરિભાષામાં મંત્રાની પ્રાપ્તિ કહેવામાં આવે છે.
મંત્રાર્થ પ્રાપ્ત થયા પછી મંત્રચૈતન્ય થતાં મહુ વાર લાગતી નથી. તાત્પર્ય કે આ જ ધ્યાનના મળે નમસ્કારમત્ર અક્ષર, પદ્મ અને શક્તિ સાથે આપણા ચૈતન્યના પ્રવાહમાં ભળી જાય છે અને તે જ મંત્રચૈતન્યની વિરલ ક્રિયા છે. આથી સાધક મત્રમય બની જાય છે અને સિદ્ધિની અતિ સમીપે આવી જાય છે.
ધ્યાનના ચમત્કાર યોગશાસ્ત્ર સ્વીકાર્યો છે, તેમ આજના