________________
ધ્યાનવિધિ
૨૮૧
રહેલા છે, એમ જ લાગશે અને તે જ ધ્યાનની ખાસ
આ રીતે શ્રી અરિહંત ભગવંતની આકૃતિ મનમાં બરાબર સ્થિર થયા પછી તેમના ચાર મૂલ અતિશય ચિંતવવા. જેમકે તેઓ સર્વજ્ઞ તથા સર્વદશી હાઈ સર્વ કાલના સર્વ પદાર્થોનું સ્વરૂપ યથાર્થપણે જાણે છે. તેઓ પાંત્રીશ ગુણવાળી વિશિષ્ટ વાણીથી સત્ય ધર્મને ઉપદેશ આપી રહેલ છે અને તે દેવતાઓ, મનુષ્ય તથા તિર્યએ સાંભળી રહ્યા છે. અરિહંત ભગવંતના વિશિષ્ટ અતિશયથી આ ઉપદેશ સહુને પિતાપિતાની ભાષામાં સમજાય છે અને તેને મન તથા હૃદય પર ભારે પ્રભાવ પડે છે. વળી તેઓ ત્રિભુવનના સ્વામી છે, એટલે સ્વર્ગ તથા પાતાળના દેવ ત્રાષિ-મહર્ષિએ, રાજા-મહારાજા તથા અન્ય લેકે પણ તેમને ભક્તિભાવથી વંદે છે, પૂજે છે, સત્કારે છે, અને સન્માને છે. વિશેષમાં અરિહંત ભગવંતના વિશિષ્ટ અતિશયથી ઈતિ–ભીતિ આદિ સર્વ અપાયેને અપગમ થઈ રહ્યો છે અને સર્વત્ર આનંદમંગલ પ્રવતી રહેલ છે.
અહીં એક અનુભવની વાત કહીએ તે ઉચિત જ લેખાશે કે શ્રી અરિહંતદેવના જ્ઞાનાતિશય પર ઊંડું ચિંતન કરતાં આપણું જ્ઞાન વધે છે. વચનતિશય પર ઊંડું ચિંતન કરતાં આપણે વાણમાં વિશદતા આવે છે અને તે અનેકનું આકર્ષણ કરે છે. પૂજાતિશય પર ઊંડું ચિંતન કરતાં આપણે સન્માનને પાત્ર થઈએ છીએ અને જોકપ્રિયતામાં વધારે