SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ નમસ્કારમંત્રસિદ્ધિ કેઈએમ કહેતું હોય કે અમે વર્ષો સુધી માલા ફેરવી, પણ કંઈ પરિણામ આવ્યું નહિ, તે એમાં માલાને કંઈ દોષ નથી, દોષ આપણા મનને છે. જે મનને પવિત્ર તથા સ્વસ્થ કરી વિધિપૂર્વક માલાને ઉપગ કરીએ તે. તેનું પરિણામ જરૂર આવે અને તે ધાર્યા કરતાં પણ ઘણું વધારે સારું આવે. સાધનમાં તે એટલું જ જોવાનું છે કે તે સારું રહેવું જોઈએ, એગ્ય હોવું જોઈએ, બાકી તેને ઉપગ કેમ કરી? તે વા૫નારના હાથની વાત છે. જે તેને કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે તેનાથી ધાર્યું પરિણામ મેળવી શકે અને આવડતની ખામી હોય તે સારું સાધન પણું નકામું જાય. આજકાલ ઘણુ યુવાને ફરવા જાય છે, ત્યારે ખભે કેમેરા લટકાવે છે અને તે કેમેરા ખરેખર ઊંચી જાતના હોય છે, પણ તેઓ છબીઓ લે છે, તે ઢંગધડr વિનાની હોય છે. કેટલીક અંડર તે કેટલીક એવર વળી કેટલીક વાંકીચૂંકી ને ત્રાંસી પણ હોય છે, કારણ કે છબીઓ કેમ પાડવી? તેની તેમને આવડત હેતી નથી. જપમાલાઓ ર૭ મણકાની બને છે, ૩૬ મણકાની બને છે, તેથી ઓછાવત્તા મણકાની પણ બને છે અને ૧૦૮ મણકાની પણ બને છે. તેમાં ૧૦૮ મણકાની માલા સર્વ કાર્ય સિદ્ધ કરનાર મનાયેલી છે અને જૈન ધર્મે તેને જ પસંદગી આપી છે. વિશેષમાં ૧૦૮ મણકા પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણનું સ્મરણ કરાવે છે, તે પણ તેની પસંદગીનું એક કારણ છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy