SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ નમસ્કારમંત્રસિદ્ધિ તાત્પર્ય કે જે શય્યામાં આપણે સૂતા હોઈએ, તે પવિત્ર હોતી નથી. આવી શય્યામાં બેસીને નમકારમંત્રને પ્રકટ ઉચ્ચાર કરવાથી સૂત્ર એટલે નમસ્કારમંત્રને અવિનય થાય, આશાતના થાય. એ અવિનય–આશાતનામાંથી બચવા માટે તેનું સ્મરણ મનથી કરવું જોઈએ. પ્રકટ ઉચ્ચાર કરતાં બીજાની નિદ્રામાં વિક્ષેપ પડે અથવા તે આજુબાજુ ધંધાદારી લેકે વસતા હોય તે તે જાગી ઉઠે અને કામે લાગે, તેના દોષના આપણે ભાગી થઈએ, તેથી એ સ્મરણ મનથી કરવું જ ઉચિત છે. સ્મરણ કયાં કરવું? - શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે “શ્રાદ્ધદિનકૃત્ય” માં એમ કહ્યું છે કેसिज्जाठाणं पमुत्तूण, चिडिज्जा धरणीयले । भाववन्धु जगन्नाहं, नमुक्कारं तओ पढे । “શય્યા, પલંગ વગેરેમાંથી નીચે ઊતરીને પૃથ્વી ઉપર ઊભાં ઊભાં નમસ્કારમંત્રનું સ્મરણ કરવું, કારણ કે તે આલેક અને પરલોકમાં સર્વત્ર સહાય કરનાર હોવાથી ભાવબંધુ છે અને પ્રાપ્ત થયેલા ગુણનું રક્ષણ કરનાર તથા અપ્રાપ્ય ગુણોને પ્રાપ્તિ કરાવનાર હોવાથી જગતના નાથરૂપ છે.” આ પરથી એમ સમજવાનું કે નિદ્રાને ત્યાગ થતાં જ જે સમરણ કરવાનું છે, તે શય્યામાં રહીને કરવાનું છે અને ત્યારપછી જે વિશેષ સ્મરણ કરવાનું છે, તે જમીન
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy