SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ નમસ્કારમંત્રની નવ વિશેષતાઓ નથી. એ અખિલ બ્રહ્માંડને ડોલાવી શકે છે અને દેવદેવીઓને પણ કાન પકડાવી શકે છે. તાત્પર્ય કે આચાર્યાદિ અન્ય ત્રણ પરમેષ્ઠીમાં પણ દેવ-દેવીઓ કરતાં અધિક શક્તિ સંભવે છે. હજી પણ એક વસ્તુ પાઠકેના ધ્યાનમાં લાવવાની રહી. એક્લા અરિહંત, એલા સિદ્ધ, એક્લા આચાર્ય, એકલા ઉપાધ્યાય કે એલા સાધુની શક્તિ જ્યારે આ પ્રમાણે દેવદેવીએ કરતાં અધિક છે, ત્યારે એ પાચેને સમવાય થતાં એ શક્તિનું પ્રમાણ કેટલું વધી જાય? આ વિશ્વમાં કઈ મંત્ર એ નથી કે જેમાં આ રીતે પાંચ મહાન શક્તિઓ એકી સાથે કામ કરતી હોય. એટલે નમસ્કારમંત્રની આ વિશેષતાને સ્વીકાર કરે જ રહ્યો. અન્ય મત્રો કામના કરવાથી એટલે કે વિશિષ્ટ સંકલ્પ આદિ કરવાથી ઘણા પ્રયને ફલદાયી થાય છે, જ્યારે નમસ્કાર મંત્ર નિષ્કામ ભાવે જપવા છતાં અલ્પ પ્રયાસે લદાયી થાય છે અને તે સાધકની સર્વ કામનાઓ પૂરી કરે છે. આ તેની ત્રીજી વિશેષતા સમજવી. કહ્યું છે કે... इको वि नमुक्कारो, परमेट्ठीणं पगिट्ठ भावाओ । ___ सयलं किलेसजालं, जलं व पत्रणो पणुव्वेइ ॥ પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠીઓને કરેલે એક પણ નમસ્કાર, પવન જેમ જલને શેષવી નાખે, તેમ સકલ કલેશજાલને. છેદી નાખે છે I
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy