SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રસિદ્ધિ સર્વ રોગો તથા આપત્તિઓની પીડાઓને અભાવ હોય છે. (૪) અનતચારિત્ર-મેહનીય કર્મને સર્વથા ક્ષય થવાથી ક્ષાયિક સમ્યકત્વ તથા યથાચારિત્ર ગુણ પ્રકટ થાય છે. તેના લીધે અનંત સિદ્ધિરૂપ સ્વભાવદશાને સ્વાદ અનુભવી શકાય છે. . (૫) અક્ષયરિથતિ -આયુષ્યકર્મને સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રકટે છે. તેના લીધે જન્મ, જરા અને મૃત્યુને અભાવ થાય છે, અર્થાત્ અજરામર અવસ્થાની પ્રાપ્તિ થાય છે. - (૨) અરૂપિત્ર નામકર્મને સર્વથા ક્ષય થવાથી આ ગુણું પ્રકટે છે. તેનાથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા શબ્દને સર્વકાલીન વિરોગ થાય છે. તેને જ નિરંજન નિરાકાર અવસ્થા કહેવામાં આવે છે. (૭) અગુરુલઘુપણું-શેત્રકર્મને સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રકટે છે. તેનાથી ઉચ્ચ-નીચ આદિના વ્યવ હારથી રહિત અવસ્થા પ્રાપ્ત થાય છે. (૮) અનંતવીર્ય અંતરાયકર્મને સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રકટે છે. તેનાથી આત્માની અનંત શક્તિને પ્રકાશ થાય છે તથા અનાદિકલીન દીનતા ચાલી જતાં સચ્ચિદાનંદ અવસ્થા અનુભવાય છે.* ૪ કર્મનું વિશેષ સ્વરૂપ જાણવા માટે “નવતત્વદીપિકાનું કર્મવાદ” નામનું પાંચમું પ્રકરણ વાંચવું, તેમ જ બાકીના ગ્રંથનું પણ અવલોકન કરવું. તે માટે છ કર્મગ્રંથ પણ ઘણું ઉપયોગી છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy