________________
નમસ્કારમંત્રનું અક્ષ સ્વરૂપ ઉઘાડવાની કુંચી છે. જો આમ્નાય ન હોય તે મંત્ર કે વિદ્યાની સિદ્ધિ થાય નહિ. આજે મંત્ર અને વિદ્યાની ખોટ નથી, પણ આસ્નાયે લુપ્ત થયા છે, તેથી એ બધું નકામું થઈ ગયું છે.
હવે તે વિદ્યાસાધકેએ આમ્નાય અનુસાર વિદ્યાની સાધના કરી તે વિદ્યાઓ પ્રકટ થઈ, પણ એક લાંબા લાંબા દાંતવાળી અને બીજી એક આંખે કાણ. ગુરુએ વિદ્યાનું જે વર્ણન કર્યું હતું, તેની સાથે આને બિલકુલ મેળ મળતું હેતે. આથી વિદ્યાસાધકે સમજી ગયા કે જરૂર વિદ્યા ભણવામાં કંઈક ગલત થઈ છે, નહિ તે આવું પરિણામ આવે નહિ. એટલે તેમણે વિદ્યાને પાઠ ઠીક કરી લીધે અને ફરી સાધના કરી તે વિદ્યાઓ પિતાના મૂળ સુંદર સ્વરૂપે પ્રકટ થઈ અને તેમણે વિદ્યાસાધકે મરથ પૂરે કરી આગે. તાત્પર્ય કે મંત્ર અથવા વિદ્યામાં એક પણ અક્ષર આ પા છે કે એ છ–વત્ત થાય તે ચાલે નહિ.
મંત્રનું અક્ષરસ્વરૂપ બરાબર જળવાઈ રહે અને તેમાં કંઈ પણ ફેરફાર ન થાય તે માટે તેની અક્ષરસંખ્યા નક્કી કરવામાં આવે છે. અમુક મંત્ર પંચાક્ષરી છે, અમુક મંત્ર અષ્ટાક્ષરી છે, અમુક મંત્ર છેડશાક્ષરી છે, એમ જાહેર કરવાનું પ્રયોજન એ છે કે તેના અક્ષરોની સંખ્યા બરાબર ધ્યાનમાં રહે. આ રીતે નમસ્કારમંત્રને ૬૮ અક્ષરને જાહેર કરવામાં આવ્યો છે. તેના અક્ષરોની સંખ્યા ગણી જુએ, એટલે ખાતરી થશે. પણ અક્ષરે ગણવામાં એક વાત ધ્યાનમાં રાખવાની કે અક્ષર સાદો હોય તે પણ એક ગણાય અને જોડાક્ષર હોય તે પણ એક ગણાય. જોડાક્ષરને દેઢ અક્ષર ગણવાની રીતિ વ્યવહારમાન્ય નથી.