SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તુર છે, તે પુરુષ કેઈ કાર્ય અકાર્ય ન જાણે, હવે પણ મારા આત્માને સમુદ્રમાં નાખું. જે માટે ભત્તરવિના હવે મારે જીવવું શું કામનું ? કુલવંતી સ્ત્રીને ભત્તરવિના મરણ શ્રેય છે. જીવ હોય તે કદાચિત્ ધર્માચરણ પણ પામે. પણ હવે આ કામી થકી હું મારું નિર્મલ શિયલ કેમ રાખીશ! કામી શેઠને કહે છે. હમણું તે મુજને મારા પતિને શેક છે, માટે સમુદ્ર પાર પામ્યા પછી જેમ તમને હિત થશે તેમ હું કરીશ. તમે નિશ્ચિત પણે રહો. જે સમયે જે ચગ્ય હશે, તે કરશું. એ તે કામીને ઉત્તર દીધે. તે વાકયથી ચનશેઠે સંતોષ અનુભવ્યું, એમ વડાણ ચાલતાં અન્યાય પાપથી સમુદ્ર વાયુથી ઉછળે, ઉત્પાત થયો, તે ભાગ્યું, તેના શત ખંડ થયા ત્યાં ઋદ્ધિસુંદરી ધર્મના પસાયથી મોટું પાટીઉં પામી. જેમ સંસારસમુદ્રમાં જીવ, સમ્યકત્વ મલવાથી સંસારને પાર પામીને મોક્ષના સુખ પામે. તેમ પાટી મલવાથી તે ઋદ્ધિસુંદરી પહેલા માત્રમાં સમુદ્રને પાર પામી ત્યાર પછી પિતાને ભત્તર, જેને લચનશેઠે મધ્ય રાત્રે પાણીમાં નાંખ્યું હતું, તેને ધર્મ પસાયથી જે પહેલું વહાણ ભાગ્યું હતું તેનું પાટીઉં બૂડતાં બૂડતાં હાથ આવ્યું તેને અવલ બી તે તટે ભર્તાર આવ્યો છે, તે જ તટે મલી. ઘણે હર્ષ ઉપજે. વિરડ વિરોગ મટયા. પિતાનું અનુભવ્યું જે દુખ તે બને માહોમાંહે કહેતા હતા. લેચનશેઠનું વહેણું ભાંગ્યું, તે બૂ, એમ સાંભળી ધર્મકુમાર અશાતા ઘર હતું. જે અપકારી તથા પાપિણ્ડ હેય તે તે ઊપર પણ ઉત્તમ પ્રાણ જે હોય તે ઉપકાર ચિંતવે છે. પરંતુ તેનું માથું ન ચિંતવે. બિચારો ધર્મ ન પામે. એટલામાં એક શ્રેષ્ઠિ આવી બનેને પિતાના ઘેર લઈ જઈ સન્માન પૂર્વક ધર્મ ધ્યાન કરતાં રાખ્યા, હવે લોચનશેઠને અધિકાર કહે છે તે શેક દરિઆમાં ડૂબકાં ખાતે કઈ કાષ્ઠ મળ્યું. તેના આધારે મત્સ્યદીર્ણ નામે તટે આવ્યા. ત્યાંથી ભમતે કઈ અનાર્ય પાલમાં ગયે. ત્યાં અતિ ક્ષુધાતુર થયે, પણ અન્ન ન મળ્યું, ત્યારે માંસાહારી થયે. ભૂખે શું ન કરે? માસાહારથી અજીર્ણ દષથી દુષ્ટ એ કુષ્ઠ રોગ ઉપજે, શરીર બગડી ગયું. જે માણસ ધર્મને ઘાત કરીને કામગ કરવાની ઈચ્છા કરે તે ચેડા કાલમાં મહા દુષ્ટ વેદના પામે. માટે કહ્યું છે, જે કામી તે કામને દેખે. પણ ધર્મનો ઘાત થાય તે ન દેખે. તે શેઠ દુખાકુળ થયેલો ભટકતો જ્યાં ધર્મકુમાર છે, ત્યાં આવ્યો તે વેલા અદ્ધિસુંદરી પાણી લેવા ગઈ હતી. ત્યાં જલાશ્રયે તે દુષ્ટ દુખીયાને તેણે દીઠે. ભર્તારને તે શેઠની વાત કહી. તે સાભળી ધર્મશે દયા આણીને તે લેશનશેઠને ઘરે તેડી આવ્યું. આદરમાનથી દઇ પૂછે છે. તમે આવી અવસ્થા કેમ પામ્યા? હે મિત્ર ! વિષવાદ ન કરશે, ધીરજ પણું રાખે, ઘણા ઔષધ ઉપચારોથી તમારું શરીર નિરોગી કરશું, ઘણું ઔષધ ઉપાયથી તેને રેગ શાંત કર્યો. બહુ ધન ખર્ચ તેને નિરોગી કર્યો.
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy