SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ત્યાં અનેક વાજિંત્રો વાગવા લાગ્યાં. અને સુવાસિની સ્ત્રીઓ મંગલગીત ગાવા લાગી, અને મૃદુતાથી નગારાં નિશાન પણ વાગવા લાગ્યાં મગધ, બંદો, ચરણ, ભાટ, તે સર્વ ઉચે સ્વરે તેના ગુણગણનું વર્ણન કરવા લાગ્યા તથા સ્તુતિ અને આશીર્વાદ દેવા લાગ્યા અને તે હર્ષોત્કર્ષથી સિંહની સમાન નાદ કરવા લાગ્યા. ત્યારે તે માગધાદિ અને યાચકલેકેને રાજાએ સન્માનપૂર્વક ઘણુ જ ધનનુ દાન દીધુ એમ અત્યાડંબરથી વરઘેડે રહ્યો ગુણસાગર કુમાર, પિતાના સસરાને ઘેર તોરણ પાસે આવી ઉમે રહ્યો ત્યારે સર્વ વૈવાહિક કિયા થવા લાગી હવે ત્યાં વિવાહની જે જે ક્રિયા થવા લાગી તે પ્રત્યેક ક્રિયાને જોઈને ચિદાનંદમાં લીન એ તે કુમાર, તત્ત્વવૃત્તિથી તે તે ક્રિયાને ચિંતવવા લાગ્યો તે જેમ કે અહો પ્રથમ આ સ્ત્રીઓ જે ગીતગાન કરે, તે પણ કેવલ પ્રલપન માત્રજ છે. કેમ કે તે સ્ત્રીના ગાયેલાં ગુણ માહે એક પણ ગુણ પરણવા આવેલા પ્રાણીમા હોતેજ નથી. તથા વળી જે વરનાં અને કન્યાના લગ્ન થાય છે, તેને જગતમાં સહુ કે લેકે વિવાહ કહે છે, તે વસ્તુતઃ ખરું જ છે. કેમ કે વિ એટલે વિષેશ કરી વાહ, એટલે સંસારભારનું વહન કરવુ અર્થાત્ જેના લગ્ન થાય છે, તે જીવ, સંસારને સર્વ બેજે માથા પર લઈ અકર્તવ્ય કર્મ કરે છે તેથી તે ઘણોજ ૬ ખગ્રસ્ત થાય છે. માટે તેને જગતમાં સહુ વિવાવું? કહે છે, તે વિવાહજ છે. વળી પરસ્પર પરણનાર એવા વર અને કન્યાના સેપારી બદલે છે, તે સેપારી જ નથી બદલતા, પરંતુ તે એકબીજા પુણ્યને વિષે પાપનુ આપણું કરે છે વળી પરણવા આવેલે જીવ, જે કોડીયું સંપુટ ભાગે છે, તે સ પુટ નથી ભાંગતે પરંતુ તે પરણવા આવનાર જીવ પિતાના ધર્મમ ગળજ ભાગે છે વળી તે વિવાહાથે આવેલા વરનુ સાસુ નાક તાણ બે ચતી નથી, પણ એ પરણવા આવેલા પ્રાણીનું સર્વની સમક્ષ અપમાન કરે છે. વળી પરણવા આવેલા જીવને ચાર પિપણામાં પ્રથમ, સાસુ સરીએ કરી પિખે છે, તે સરીએ પિખતી નથી, પણ તેથી એમ જણાવે છે, કે હવે આ જીવ શર જે બાણ તેણે કરી છને હણશે. વળી તેને સાસુ બીજા મુશલ નામે પિખણે કરી પિખે છે, તેથી તે પિખતી નથી, પણ તે એમ જણાવે છે, કે આ પરણવા આવેલ જીવ હવે મુશલેથી દીન જીવનું દહન કરશે. વળી ત્રીજે પૈસરે, કરી જે પેખે છે તેથી સાસ એ જીવને એમ જણાવે છે, કે હવેથી તારા ગાલાપર સ સારભાર તાણવાનું છેસરું પડશે તે તારે બેલની જેમ ખેંચવું પડશે. વળી સાસુ, ચોથું પિખવાણું જે ત્રાક, તેણે કરીને પિખે છે, તેથી તે એમ સૂચવે છે, કે હવે આ પ્રાણી કર્મ સૂત્રને કાતવા માંડશે? આ સર્વ અભિપ્રાય ચાર પિખણાએ કરી પખવાને છે. વળી લેકે મારું જે કહે છે, અને તેમાયરામા પરણવા આવેલે જીવ જાય છે. તે માયરામાં નથી જાતે, પરંતુ માયાગ્રહમાં જાય છે, અર્થાત્ તે માયરામાં પરણવા જનારે જીવ માયાગૃહમાંજ પડશે, એમ જાણવું. તેમાં વળી પાછો તે ચેરી ફરતા ચાર ફેરા ફરે છે, તે ચેરીના ફેરા નથી ફરતે, પરંતુ તેથી તે જીવ એમ જણાવે છે કે હવે હું, ચતુર્ગતિરુપ ભવભ્રમણ કરીશ?
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy