SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધનજીનાં પદે. [પદ આપે એટલે ઉપદેશ દરમ્યાન કહે કે પતિ અને ભારે વિરહ છે તે તે વાત પણ મને ગમતી નથી, કારણ કે તેથી પતિ વધારે યાદ આવે છે અને વિરહદના વધારે તીવ્ર થાય છે. મને ગમતી નથી એટલે મારી જ્ઞાનષિરૂપ આંખેને પસંદ આવતી નથી. આંખ એ જ્ઞાનદૃષ્ટિ, અંજન ઉપદેશ અને રેખા એટલે અંશમાત્ર એ ભાવ અહીં સમજે. આવા ઉપદેશમાં અથવા એવી વાતોમાં નાથને મેળે થતું નથી, મારુ કોઈ કામ સુધરતું નથી, મારી સ્થિતિમાં જરા પણ ફેરફાર થતો નથી, તેથી એ ઉપદેશ જેમાં પતિને વિરહ છે, જેમાં પતિને મળવા સંબધી વાત આવતી નથી, જેમાં પતિની કાંઈ વાત આવે છે તે શુદ્ધ વાત નથી આવતી પણ પતિની લઘુતામૂર્ખતા બતાવવામાં આવે છે એ ઉપદેશ મને પસંદ પડતું નથી. વળી ગગા નહાવું, ગોદાવરી નહાવું વિગેરે સ્નાનના માથા પર દાહ પડે, મારે એવું સ્નાન ઇતું નથી. વિરહકાળમાં નાન અંજનાદિ કાઈ પસંદ આવતાં નથી. ઉપરના પદમાં કહ્યું છે કે ચેતનાને કેઈ નિષ્પક્ષ રહેવા દેતા નથી, જાસુ જાઈ પુછીએ તે તે, અપની અપની ગાવે, મારગ સાચા કાઉ બતાવે એમ ચિદાનંદજી મહારાજે કહ્યું છે તે યથાર્થ છે. જેની પાસે જઈને ચેતના પિકાર કરે તે સર્વ તે પોતપોતાની વાત કરવા મંડી જાય છે, કઈ ચેતનાને વિચાર કરતું નથી, એને પરિણામે ચેતના અને ચેતનજીને શુદ્ધ દશામાં સાગ થવાના પ્રસંગો અલપ થતા જાય છે અને તે વાત કેટલી હદ સુધી વધી જાય છે તે પણ આપણે ઉપરના પદમાં જોઈ ગયા છીએ. સ્ત્ર વિષ એવૌswષ અયાવે એવા શુદ્ધ સૂત્રમાં કહ્યું છે કે “રવધર્મમાં મરણ સારું, પરધર્મ ભત્પાદક છે. આનો અર્થ કરતાં દાખલા તરીકે મતવાળા તેને પારમાર્થિક રહસ્યસૂચક અર્થ વિસારી મૂકી મતઆગ્રહના અર્થમાં તેને સકેચી નાખે છે. આ વાક્ય પ્રથમ શ્રીમદ્ભગવદ્દગીતામાં જોવામાં આવ્યું છે, તેને ભાવ એ છે કે દરેક પ્રાએ પોતપોતાના ધર્મો અનુસરવા જોઈએ, પરધર્મ એટલે અન્ય સ્થિતિની ફરજો જે પિત કરવા મંડી જાય તો તેનું પરિણામ સારું આવે નહિ. આવા સુંદર ભાવવાળા સૂત્રને અર્થ એ છે કે રાજાએ રાજાની ફરજ બજાવવી જોઈએ, તેમ જ વિદ્યાથીએ, ગૃહસ્થ, શ્રાવકે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy