SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાળીશમુ. ચેતનાની નિષ્પક્ષતા દર્શનવૈચિય, ૫૩e આ વસ્તુસિથતિ છે. એ શુદ્ધ સાચે ઉપદેશ આપનારા અને તેને યથાર્થ સ્વરૂપે સમજનાર બહુ અલ્પ હોય છે ચેતનાની અહીં જે ફરિયાદ છે તે માથું સંડાવવાની કે લેચ કરાવવાની બાબતની નથી, તેના કહેવાનો આશય એ છે કે ચેતનજીઓ મંડન અને લેચમાં પરિ. પૂર્ણતા માની લીધી છે, પણ મન વચન કાયાના ચગાની લગામ હાથ કરવા માટે એ તે શિવસાધન છે. સાધનને જે સાધ્ય માની લેવામાં આવે તે મહા અનર્થ થઈ જાય અને કમનશીબે ચેતનછના સર્ષધમાં એમ વારવાર બન્યું છે, તેથી ચેતનજીને કહે છે કે તમે જે આતમારામને પ્રગટ કરવા ઈચ્છતા હે તો સંયમક્રિયા કરે, જ્ઞાન ભણે અને તે ઉપરાંત ખાસ કરીને મનને ઠેકાણે ઠેકાણે દેહા નહિ, એને સ્થિર રાખે, એને અંકુશમાં રાખે. મનની ચંચળતા કેવી છે અને એને સ્થિર કરવાની કેટલી જરૂર છે તે સંબંધમાં આનદઘનજી. મહારાજે મનડું મિહીન માને હો કુશુજિનીએમ કહીને સત્તરમાં શ્રી કુંથુનાથજીને ઉદેશીને બહુ સુંદર સ્તવન રચ્યું છે જેના ભાવ પણ આ સાથે વિચારવા ગ્ય છે. પ્રથમ પંક્તિમાં “કેણે મૂકી કે લચી' એ પાઠ છાપેલી બુકમાં છે. મૂકી એટલે મુંગી કરી. મતલબ એ છે કે કેઈએ મારા પતિને મૌન ધારણ કરાવ્યું. ભાવનગરમાં મારા જેવામાં એક સંન્યાસી આવ્યું હતું તે બેલ નહિ; લખી આપતું હતું. સાથે સ્લેટ રાખતે અને લખીને વાત કરતા હતા. આવા પ્રકારના મૌનથી લાભ નથી. વચન ઉપર અંકુશ રાખવાની જરૂર છે. કારણ વગર અથવા વિચાર વગર નકામું બોલ્યા કરવું એ સર્વથા ત્યાજ્ય છે. પણ બાહ્ય દ્રષ્ટિએ વચનને ઉચાર ન કર અને તેને બદલે સાનથી કે લખાણુથી બોલવાના વિચારો વ્યક્ત કરવા એ વખતને નકામે વ્યય અને અન્ય ઉપર ઉપકાર કરવાના પ્રાપ્ત થયેલા પ્રસંગને ગેરવાજબી રીતે નાશ છે. જે વચનને ઉરચાર ન કરવાથી જ લાભ હેય તે ચોરેન્દ્રિય સુધીના સર્વજીને સ્પષ્ટ ભાષા હેતી નથી તે જરૂર લાભ પ્રાપ્ત કરે જ, પરંતુ વાત એમ નથી. પ્રસંગે બોલવું હોય ત્યારે વચન સમિતિ રાખવી અને કારણુ ન હોય ત્યારે વચનગુણિ રાખવી. આ બને એગમાર્ગ છે. પ્રભુભક્તિ, પ્રતિક્રમણદિ ક્રિયા, અન્યને સદુપદેશ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy