SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ આનંદઘનજીનાં પદે. [પદ ધર્મને મર્મ જાણવાની જિજ્ઞાસા થવી એ બહુ ભાગ્યદયની નિશાની છે એ વાત આ જ કવિએ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સ્પષ્ટ જણાવી છે. એવી જિજ્ઞાસા થવી મુશ્કેલ છે તે સાથે બરાબર જ્ઞાન આપે એવા સરૂને યોગ થ એ પણ તેટલું જ મુશ્કેલ છે. આ આખા પદમાં મહારાજા સાથે ઉઘાડી રીતે મેદાનમાં આવી ચુદ્ધ કરવાની વાત કરી છે એ બહુ આનદ આપે તેવી, સમજવા લાયક અને બોધદાયક હકીકત છે. એની સાથે પ્રસગે બીજી કેટલીક હકીકત બહુ ઉપયોગી કહી છે. દાખલા તરીકે અનાદિ કાળથી ન્હાનાં કાઢવાની આ ચેતનજીની ટેવ છે તેનું સવરૂપ પિતાનું ચરિત્ર અવલોકન કરવાથી બરાબર સમજાય તેમ છે. જ્યારે મનુષ્યસ્વભાવનું બારિક અવલોકન થયું હોય ત્યારેજ એકાદ શબ્દમાં રહસ્થની વાત લખી શકાય છે. આપણે વસ્તુવરૂપને જરા બંધ થયા પછી પણ કેવા ગેટા વાળીએ છીએ તે આપણું પિતાથી અજાણ્યું નથી. લગભગ દરેક શુભ પ્રસંગે પ્રાપ્ત થાય છે ત્યારે આપણે આવી જ રીતે તેને ગુમાવી બેસીએ છીએ. “વાર અનતી ચુકીઆ ચેતન, એણે અવસર મત ચુકે. આવી રીતે અસંતી વાર આપણે આવેલા પ્રસંગે ચૂકી ગયા છીએ એમ જે ચિદાનંદજી મહારાજે કહ્યું છે તે આવાં બહાનાં કાઢીને કર્યું હશે એમ જણાય છે. શિવદરા પ્રાપ્ત કરવાની, બીજી સ્થૂલ લડાઈ લડવાની મૂર્ખતાની અને ભાવશત્રુને નાશ કરવાની તેમ જ ધર્મને મર્મ સમજવાની વાત કરી છે તે પ્રત્યેક વાતપર એક એક માટે નિબંધ લખી શકાય એમ છે. વિશિષ્ટ લેખકે ઓછા શબ્દોમાં કેટલે ભાવ બતાવી શકે છે તે આટલા ઉપરથી સમજાયું હશે. કવિનું ચાતુર્ય સમજવા સાથે પરપરિણુતિને ત્યાગ કરી મહારાજા સાથે બરાબર લડાઈ કરવા માટે ચગાનમાં આવવાનું અત્ર જે આહાન કર્યું છે તેને સમજીને પકડી લેવું અને આ પ્રાપ્ત થયેલ શુભ અવસર જવા ન દે એ શૂરવીર માણસનું ખાસ લક્ષણ અને કર્તવ્ય છે. એમ નહિ કરવામાં આવે તે આનંદઘન મહારાજની દષ્ટિએ તે આપણું પણું “બાયરામાં ગણતરી થવાની છે એમ પુનરાવર્તન કરીને બતાવવાની ખાસ • જુઓ આનદધનજીકૃત સેળમા શ્રી શાંતિનાથજીનું સ્તવન ગાથા બીજી જુઓ પુદગલ ગીતા ચિદાનંદજી મહારાજ , ગાથા ૪૯ મી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy