SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ આનંદધનજીનાં પદે, [ પદ નહિ એ અન્ય પુરૂષને ઈ છે નહિ કે તેના સામું જુએ નહિ. અત્ર નિષધ પણ સ્થળ પ્રેમને છે કારણ કે તેમાં અને વિક્ષેપ જરૂર પડવાનો છે. અનંતકાળ સુધી પતિ સાથે અતર રહિતપણે મેળાપ થાય તેવું કાર્ય બની શકે તે તેમ કરવાનું નિષિદ્ધ હોય એમ અત્ર જણાતું નથી. આ ભાવ બરાબર વિચાર કરવાથી સમજાય તેમ છે. प्रीतम मानपति विना, पिया कैसे जीवे हो मान पवन विरहा दशा, भुयंगनिी पीवे हो. पीया० ३ “અતિ ઇષ્ટ જીવનઆધાર ચેતન વગર (તેની) પત્ની (ચેતના) પ્રાણને કેવી રીતે ધારણ કરે? વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુને પી જાય છે ભાવ-સખિી આ દુનિયામાં વિરહી સ્ત્રી કેવી રીતે જીવન ધારણ કરી શકે? જ્યારે પિતાના હૃદયવલ્લભ શિરછત્ર મુકુટમણિ પ્રાણનાથને તેને વિરહ રહ્યા કરે ત્યારે તેને પોતાના પ્રાણ કેવી રીતે ધારણ કરવા? તે આવા જીવનમાં કેવી રીતે રહી શકે? કેવી રીતે ટકી શકે? એક તે તેના પતિ તેના મદિર પધારી તેને આનંદ આપી જીવનદેરી લગાવતા નથી અને બીજું તેના જીવનને ટુંકું કરી નાખનાર અને તેના પ્રાણને ખાઇ જનાર પણ હાજર છે જે તેના જીવનને તેડી ફાડી નાખે છે, અકારું બનાવે છે, નકામું બનાવે છે. વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુનું ભક્ષણ કરે છે અને તેના જીવનના પાયામાને ખાઈ જાય છે. લક્તિ એવી છે કે સર્ષ પવનનું ભક્ષણ કરી તેના ઉપર પિતાને નિર્વાહ કરે છે. વિરહદશારૂપ સાપણુ ચેતનાના પ્રાણ • કાનપતિ ને બદલે “પ્રાપિયા” પાઠ એક મતમા છે. # ભયંગનિ ને બદલે બે મતમા “ભયગમિ' પાઠ છે તેના અર્થ પણ સાપણું થાય છે છાપેલ બુકમાં ભુગમ શબ્દ છે તેને અર્થ સર્ષ થાય છે. - a પ્રીતમ અતિ ઈ. કાનપતિ=ગનઆધાર પીયાગ્ની, પ્રિયા દેવી રીતે. અને પ્રાણ ધારણ કરે માન પવનપ્રાણવાયુ, વિરહાદશા=વિરહ શાહ૫. ભય ગનિ મુજગાણું, સી , સાપણ પીવે માન કરે, પી જાય.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy