SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ચાળીશમ ] વિચિત્ર આત્મવાદમા યુદ્ધ પતિદર્શન. ૪૧૩ એ વાત અત્ર વધારે ઢૂંઢ રીતે અને સ્પષ્ટ શબ્દોમાં કહી, તેના ભાવ વિચારીએ. શુદ્ધ ચેતના કહે છે કે મારી અનારસિદ્ધિ મારા નાથમાં જ થાય તેમ છે, તેથી અન્યત્ર મારો ઉદ્ધાર અથવા પ્રિયસંચાગ થવા સંભવિત નથી. અન્યત્ર તે મને બહુ પ્રકારના સંતાપ થાય તેમ છે. આપણે સર્વ કાર્યો સુખપ્રાપ્તિના હેતુથી જ કરીએ છીએ. વ્યવ હારના પ્રત્યેક કાર્ય કરતી વખતે પણ આપણી માન્યતા પ્રમાણે સુખ મેળવવાની ઈચ્છા હોય છે, ધાર્મિક પ્રગતિ કરતી વખતે નિરાખાય અક્ષય સુખ પ્રાપ્ત થાય, સુખપ્રાપ્તિ થયા પછી તે નિરંતર એક સરખી સ્થિતિમાં અન્યું રહે અને તે સુખથી અવિચ્યુતિ કદિ પણ થાય નહિ એવું સુખ જો આત્માને પ્રાપ્તવ્ય હાય તા તે ખાસ મેળવવા ચાગ્ય ગણી શકાય. ઉપરની પ્રથમ ગાથાના છેવટના ભાગમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ ગયા કે વૈશેષિક ખાદ્ધ અને સાંખ્ય તથા મીમાંસકા મુક્તિનું સ્વરૂપ સમજે છે તે પ્રમાણે તેમાં કાઈ પણ પ્રકારનું સુખ નથી. આ દર્શનધમાં થયા. એ ઉપરાંત પુરાણુ સંપ્રદાયે જેનું સ્વરૂપ પણ આપણે વિચારી ગયા તેમાં પણ માક્ષમાં સુખપ્રાપ્તિ થાય અથવા ત્યાંથી ફરીવાર દેહ ધારણ કરવાનું કદિપણુ રહે નહિ એવી સિદ્ધિ કેાઈ સંપ્રદાયે ખતાવી નથી. આવી સુખપ્રાપ્તિ જો કોઈ માર્ગે બતાવી હેાય તે તે સર્વજ્ઞકથિત શ્રી જૈન શાસનમાં જ છે અને તેઓએ જે પ્રત્યેક આત્મવાદ બતાવ્યા છે તેમાં મહે આનંદ પ્રાપ્ત થાય અને તે મેળવવા પ્રયત્ન કરવાની ઈચ્છા રહે તેવું છે. જો ચેતનજી અન્ય મહાત્ સત્તામાં લય થઈ પેાતાનું વ્યક્તિત્વ સર્વથા ખાઈ એસતા હાય તા પછી તેનું વ્યક્તિત્વ નાશ કરી તેની સિદ્ધિ કરવામાં અથવા તેના અભેદભાવ સ્થાપિત કરવામાં લાભ શું એ પણુ સમજાતું નથી. સુખ મેળવવાની અને તેના સ્પષ્ટ ખ્યાલ થયા પછી તેને માટેનાં સાધના ચેાજવાની ઇચ્છા સર્વ જીવાને રહે છે, પણ તે સુખ મેળવવા જતાં સ્વત્વના જ નાશ થઈ જતા હાય તા પછી મેળવ્યું શું કહેવાય? સ્વનું અભિમાન ત્યાજ્ય છે પણ સ્વના વિપ પણ ન રહે તે સર્વથા અંધકાર સ્પષ્ટ જણાય છે એમ કલ્પના કરવાથી સમજાશે, જે આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી એવા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy