SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ આનંધનનાં પદો. [પદ્મ સ્પર્શ, પુનર્જન્મગ્રહણ, વેદત્રય, કષાયાદિ સઁગ, અજ્ઞાન, અસિદ્ધત્વ એ આદિ સહિત દેહાનિના આત્યંતિક વિચાગને મેાક્ષ કહેવામાં આવે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ રૂપ જીવન સિદ્ધોને પણ હાય છે. સિદ્ધદશા સુખમય છે એ સંબંધમાં ત્રણ વિરૂદ્ધ મતા છે. આત્માને મુક્તિ મળે ત્યારે બુદ્ધાદિ ગુણ માત્રના ઉચ્છેદ થાય છે એટલે આત્માને સુખમય મનાય નહિ એમ વૈશેષિકા કહે છે; ચિત્તસંતાનના અત્યંત ઉચ્છેદ થવાથી આત્માને જ અસંભવ માની ઐાદ્ધો એ દશામાં સુખ માનવાની ના પાડે છે, આત્મા અલાતા છે તેથી તેની મેમાં સુખમયતા માની શકાય નહિ એમ સાંખ્યા કહે છે. આમાં વૈશેષિકા જે મેક્ષમાં યુદ્ધિના ઉચ્છેદ કહે છે તેમાં તેઓ સ્ખલના કરે છે. મેાક્ષમાં ઇંદ્રિયજન્ય બુદ્ધિના ઉચ્છેદ હાઈ શકે પણ આત્મવભાવભૂત અતીદ્રિય જ્ઞાનના ઉચ્છેદ્ય અસંતવિત છે તેથી તેના અભિપ્રાય ખરાબર નથી. અઢ઼િય જ્ઞાનના પણ નાશ થઈ જતા હાય તા તેવી સિદ્ધિ તે કાઈ ઇચ્છશે નહિ. એક જગાએ કહ્યું પણ છે કે વૃન્દાવનમાં વાસ કરી શિયાળપણે અથવા તેની સાથે રહેવું તેને ગૌતમ સારૂં ગણે છે પણ વૈશેષિકી મુક્તિને ઇચ્છતા નથી. વૈશેષિકાની પેઠે મીમાંસકાનું પણ સમજી લેવું. તે પણ કાઈ પણ પ્રકારનું સુખદુઃખ ન રહે તે સ્થિતિને મેાક્ષ કહે છે. વાસનાદિક સર્વે આત્મગુણુ ઉચ્છિન્ન થયા નથી ત્યાંસુધી આત્યંતિકી દુઃખનિવૃત્તિ થતી નથી. સુખટ્ટુ,ખના સંભવ ધર્મ અને અધર્મનિમિત્તથી થાય છે, તેના ઉચ્છેદ થતાં કાર્યરૂપ શરીરના ઉપાય થાય અને આત્માને સુખદુ:ખ રહે નહિ માટે તે મુક્ત કહેવાય એસ સીમાંસકા કહે છે. આત્મા પોતેજ સુખસ્વરૂપ હાવાથી સ્વરૂપના ઉચ્છેદ મુક્તિમાં પણ સંભવત નથી. એમ કહેવામાં ન આવે તે સર્વથા અવ્યવસ્થા થઈ જાય. જે સર્વથા સુખાભાવ મેાક્ષમાં હાય તે તે પ્રાપ્ત કરવા માટે કરેલ પ્રયત્ન પણ અર્થ વગરના થઇ જાય. સાંખ્યમતાનુસાર ચૈતન્ય સ્વરૂપ પુરૂષ એક તૃણને પણ નમાવવાને અસમર્થ છે, જડ પ્રકૃતિને આશ્ચયી તે અજ્ઞાનતમચ્છન્ન થાય છે અને ત્યારે પ્રકૃતિગત સુખાદિ ફળને પોતામાં પ્રતિબિંબે છે, જ્ઞાન પેદા થવાથી અને દુઃખરૂપ સમજે છે અને જ્યારે તેને વિવેકખ્યાતિ થાય છે ત્યારે તે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy