SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ [ પદ આનંદધનજીનાં પદે. નાથ! મને હવે આપના શુદ્ધ સ્વરૂપમાં સમાવી દે. આપ હાલ કઠોર થયા છે તેથી મને બહુ ખેદ થાય છે. હું મન વચન કાયાથી આપની જ છું, આપની સર્વ રીતિ ગ્રહણ કરવાવાળી છું અને ગ્રહણ કરવા તૈયાર છું. આ પ્રમાણે અર્થ કયો છે તે વિચારવા ચગ્ય છે. આખા પદને આશય તે અને અર્થમાં એક જ આવે છે કે ચેતનજીએ માથા મમતાને પ્રસંગ મૂકી શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા ઉદ્યમ કર તે સર્વ પ્રકારે ઈચ્છવા ચે છે, પણ તેની દલીલે જૂદા જૂદા દૃષ્ટિબિંદુથી થાય છે. કેટલાકારે જે અર્થ લખ્યું છે તે પણ સમજવા યેાગ્ય છે. હ ચેતન! તમે શા ઉપર અટકી જાઓ છે (અથવા અવગુણ માને છે) પાડાથી પાણી લાવીએ. હે આનંદઘના ગુણ અવગુણને વિચાર ન કરે અને તમે જેવા છે તેવી મને કરે છે ભાવ– ચેતના મારા પતિ! મારા શિરછત્ર સુકુટમણિ પ્રિય પ્રાણનાથી હું તમારા તરફ આટલો પ્રેમ રાખું છું, તમારા તરફ આકર્ષાઈન ચાલી આવું છું અને તમે આટલા બધા મારા ત કઠોર કેમ થઈ ગયા છે? તમે મારી પાસે આવતા અટકી કેમ જાઓ છે? હે મારા પ્રભુ! મેં તે તમારું કાંઈ બગાડ્યું નથી અને તમે મારા અવગુણ શા કારણે માને છે? હું આપની પાસે જેટલી વાત કહું છું તેટલી આપણા બન્નેના હિતની અને ખાસ કરીને તમારા લાભની કહું છું તે શિખામણની વાત સાંભળવાને બદલે તમે મારા સામું આવી વક દષ્ટિએ શામાટે જુઓ છો? આપનું શુભ ઈચ્છવા માટે મારી તરફ પ્રેમ બતાવવાને બદલે તમે મારાથી એક્યા શામાટે જાઓ છે? એટલે મારા તરફ સુરસાની નજરે શામાટે જુઓ છો? પખાલના પાણીનું વહન સાધારણ રીતે બળદથી થાય છે, પણ કેઈ વખત બળદ હાજર ન હોય તે પાવાથી પણ કરવામાં આવે. (ઘણું જગોએ બળદને બદલે પાડા ઉપર પખાલનું પાણી લાવવાનો રિવાજ છે.) એટલે આપને પ્રેમ શુદ્ધ ચેતના તરફ થતું હોય તે તમને - જે એડી-અછી, અવગુણમાને છે અનને બદલે આ અર્થમાં જાવ એવા પાક છે કદાપત્રશા ઉપર. એન=આટલા નીપા. નિવહીઓ લાવીએ સ=પાડાથી (સીવી, - - - - - - - -
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy