SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ આનંદઘનજીનાં પદે • [પદ પ્યાલાની વાત કહી છે. એ મનરૂપ પ્યાલામાં વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણરૂપ સ્વાધ્યાયરાણ આદિ મસાલો ભર. દૂધમાં જેમ મસાલો નાખવામાં આવે છે તેમ મનરૂ૫ ગાલામાં સ્વાધ્યાયરાગ વિગેરે મસાલા નાખ. નીચે બ્રહ્મ એટલે બ્રહ્મચર્યરૂપ અથવા વિશેષ વાસ્તવિક રીતે સાધ્ય બિના શબ્દ જ્ઞાનરૂપ બ્રહ્મને અગ્નિ શુદ્ધ ક. બ્રહ્મ શબ્દને જે નવીન અર્થ અહીં બતા છે તે ખાસ વિચારવા ચોગ્ય છે. તન ભાઠી અવટાઈ કસ પીએ એટલે નિરતર આત્મામાં એકાગ્રતા કરવામાં આવે છે તેથી છેવટે કેવળ વસ્વરૂપમાં રમણુતાની દશા પ્રગટ થાય. આ અર્થમાં સાંકેતિક શબ્દને જે વિશુદ્ધ આશય બતાવ્યા છે તે ખાસ મનન કરવા ચાડ્યું છે. મનરૂપ પ્યાલામાં સ્વાધ્યાયરાગાદિ મસાલા ભરી સાધ્યના જ્ઞાનરૂપ બ્રાન્નેિ શુદ્ધ કરી સ્વમાં એકાગ્રતા કરીએ તે સ્વસ્વરૂપમાં રમણુતાની દશા પ્રાપ્ત થાય એ આ ગાથાને આશય છે. આપણી વર્તમાન દશામાં પરની આશા કરી સ્વાવલંબનને મૂકી દેવામાં આવે છે, ભૂલી જવામાં આવે છે, વિસારી દેવામાં આવે છે, પરંતુ જ્યારે મન નિર્મળ થાય અને સાધ્ય-પ્રાયવ્ય બિન્દુનું શુદ્ધ શાન થાય અને સાથે સ્વમાં સ્થિરતા થાય ત્યારે સર્વસ્વરૂપ રસાણુતાની એકાંત હિતકારક દશા જરૂર પ્રગટ થાય એમાં સંદેહ જેવું નથી. આ જીવને જે જોઈએ છે તે તેની પાસે છે, પારકા પાસેથી કાંઈ આવવાનું નથી, અન્ય કોઈ આપનાર નથી અને અન્યની આશા સ્થલ-માનસિક કે આત્મિક વિષયમાં રાખવી એ સાધ્ય સ્વરૂપનું અજ્ઞાન બતાવે છે. આ ભાવ બહુ સારી રીતે વિચાર. *अगम पीआला पीओ मतवाला, चीने अध्यातम वासा . आनंदघन चेतन व्है खेले, देखे लोक तमासा. જ અગમને ભલે આગમ પાઠાતર છે. t “આનંદધન તે જગમેં ખેલ એવે પાઠ અન્યત્ર છે ૪ અગમ જેની ખબર ન પડી શકે તેવ, અગમ્ય મતવાલા અધ્યાત્મયતમા મમ ચાચીનહી, શોધીને. વાસા==ાસ, નિવાસસથાન ક્યા તમાસ=એલ, નાટક आशा०४
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy