SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ આનંદઘનજીનાં પદે. [ પદ આપની રીઝ રીઝામણ જાણતા નથી એટલેથી જ અટકતું નથી પણ આપના નિરજન પરની સેવા કેમ કરવી, કેવી રીતે કરવી, શું સાધનાથી કરવી અને તેમ કરીને તમારું પદ કેવી રીતે માગવું તે પણ જાણતા નથી. આપના ચરણકમળની સેવા કરતાં આવડતી નથી, નહિ તે મારી આ દશા હાય નહિ. હે નાથ! આ પ્રમાણે રિસ્થતિ છે ત્યારે હવે મારે આપની પાસે શું માગવું? કેમ માગવું? અને કેવી રીતે માગવું? મને આપની પાસે યાચના કરતાં પણ આવડતી નથી. અથવા હે નાથ! હું આપની પાસે તે સગીતવિદ્યા મા કે વાઘવિદ્યા માણું કે સ્વરાન માગું? આવાં સાધને પણ મને આવડતાં નથી ત્યારે મારે તે આપની પાસે ગુણની માગણી કરવી કે ગુણ પ્રાપ્તિનાં સાધનોની માગણે કરવી? અને મારે ગુણે માગવા તે તે કેવી રીતે માગવા? નીચેની દરેક ગાથાને આવી રીતે પણ અર્થ થઈ શકે છે એ ધ્યાનમાં રાખવું. वेद न जानु *किताब न जानु, जाणुं न लक्षण छंदा; तरकवाद विवाद न जानु, न जानुं कवि फंदा. अवधू० २ - હું વેદ જાણતું નથી, કિતાબ જાણ નથી, કવિતાનાં લક્ષણ અને છંદ જાણતા નથી, તકવાદ અને વિવાદ જાણતા નથી તેમ જ કવિત્વકળા જાણતો નથી.) ભાવ-વળી હે નાથ સૂર્ય, અગ્નિ અને ચંદ્રથી ઉદ્ધરેલા શામ, યજુર અને વેદ અને એ ત્રણથી ઉધરલે અથર્ડ એ ચાર વેદ શ્રીવ્યાસજીએ વિલક્ત કરેલા છે તેમાંથી એક પણ હું જાણુતે નથી. હિન્દુ ધર્મશાસ્ત્રને મૂળ પાયે વેદ છે. એની શ્રુતિના જુદા જુદા અર્થ કરીને અદ્વૈતવાદી આદિ અનેક દર્શને ઉત્પન્ન થયાં છે અને તે એક નયને આશ્રયીને થયેલાં છે. આત્મજ્ઞાન જેને વાસ્તવિક રીતે * ક્લિાબને બદલે તેમાં પાઠ બે પ્રતમા છે ર વેદ ચાર વેદ, વરૂપજ્ઞાન ક્વિાબ=કરાન, બક્ષીસ. ઇદ પિંગળ, સ્વભાવ. તરકવાદ ચારાશાસ્ત્ર વિવાદ ઉત્તર પ્રતિઉત્તર કવિફદાકવિત્વકળા નવી નવી રચના.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy