SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું] વિશુદ્ધ દશામાં આવતા ચેતનજીના ઉદ્દગાર. ૧૪૩ ફેલાઈ ગઈ જ્ઞાનથી લોકાલોકના સર્વ ભાવે પ્રગટ થાય છે અને સર્વત્ર પ્રકાશ થાય છે. એ જ્ઞાન આત્મિક સ્વભાવ છે, તેની મૂળ વક્ત છે અને તન્મય છે. સૂર્યથી જેમ વિશ્વમાં પ્રકાશ થાય છે તેમ જ્ઞાનથી કાલેકપર પ્રકાશ પડે છે. તેના અતીત, અનાગત અને વર્તમાન ભાવે વિશિષ્ટ જ્ઞાનથી પ્રત્યક્ષપણે અને મતિશ્રુતથી પરાક્ષપણે ભાસમાન થાય છે. વળી આ પ્રકાશ પડે છે તે સામાન્ય નહિ પણ ચતુર-વિચક્ષણ છે, જે એને મહિમા સમજે તે પરમ આહ્વાદ પામે, જે તેને અનુભવે તે અપૂર્વ રસલીન થાય એ તે પ્રકાશ પરમ જ્યોતિ સ્વરૂપ છે. સૂર્યનો ઉદય થતાં જેમ અંધકારનો નાશ થઈ જાય છે તેમ જ્ઞાનભાનુને ઉદય થતાં ભ્રાંતિરૂપ અંધકારનું જેર તરફ હતું તે ખસી જાય છે. અત્યાર સુધી આ જીવ ખાવામાં આનંદ માનતા હતે, સ્ત્રીસાગમાં સુખ માનતે હતે, સુંદર વાજિત્રના સરદમાં લીન થત હતે, સારાં કપડાં પહેરવામાં માન સમજતા હતા, મુસાફરખાનાને ઘરનું ઘર સમજતા હતા, ધનપ્રાપ્તિને સર્વસ્વ ગણુ હતું, પગલિક વસ્તુઓને પિતાની માનતે હતે એવી રીતે એ પિતાનાને અને પારકાને ઓળખતે નહિતે, એવી સર્વ બાબતેમાં જે આનંદ માનતે હતે તે ભ્રમજ્ઞાન હતું, જ્યાં સુખ નહોતું, જે સુખ નહોતું ત્યાંથી તે સુખ શોધતું હતું અને તેની પ્રાપ્તિને સુખ માનતા હતા. એ સર્વ ભ્રાંતિમય જ્ઞાન હતું તે સૂર્ય ઉદય થવા સાથે ચાલ્યું ગયું. પ્રત્યક્ષ દર્શન થવાથી ભ્રમ ભાગી ગયા અને શુદ્ધ વસ્તસ્વરૂપનું દર્શન થવા લાગ્યું. વળી આ ભ્રમાત્મક જ્ઞાન હતું તે દૂર થવાથી એક બીજા માટે લાભ થએ તે બતાવે છે. સાધારણ રીતે રાતે ચોરી થાય અને ખાસ કરીને ઘોર અંધારી રાતે ચોરી થાય ત્યારે તેને પતો મેળવો મુશ્કેલ પડે છે. પ્રભાત થયા પછી પગીને બોલાવી ચોરને શોધવાનો ઉપાય જાય છે. હવે આ ચેતનજીનાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મહા મૂલ્યવત રત્નની ચોરી થઈ ગઈ હતી, પણ તેના ચારને ભ્રમરૂપ અંધકારના જેરને લીધે પત્તો લાગતે નહાત હવે જ્યારે આત્મિક પ્રભાત થયું ત્યારે ચેતનજીને સમજાયું કે આ તે પિતાની ચેરી કરનાર પિતે જ હતા. મેહનીયાદિ કર્મપરતંત્રતાને લીધે વસ્તુ વરૂપ ન ઓળ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy