SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમુ..] મમતાસંગમાં રમતા ચેતનજી માટે સમતાના ઉદ્ગારા ૧૩૧ કે ચેતનજી જ્યારે એની સાખતમાં હોય છે, એના મંઢિરમાં હાય છે ત્યારે આનંદમાં આવી જાય છે, લહેરમાં આવી જાય છે, પ્રમાદમદ્ધિરાના પાનમાં મસ્ત અની સદસદ્વિવેક ભૂલી જાય છે તેથી પછી તે કુલટા છે, વેશ્યા છે કે કુળવધૂ છે તેની જરા પણ તપાસ કરતા નથી. લાકમાં કહેવત છે કે • રાજાને ગમી તે રાણી અને છાણા વીભુતી આણી. એટલે એની સાથે પછી તત્સંબંધી વાત પણ કાઈ કરતું નથી અને મેહમદિરામાં મસ્ત બનેલા ચેતનજી તે સંબંધી વિચાર પણ કરતા નથી, એ વાત તે ઠીક પણ તું દિલગીર કેમ દેખાય છે? તારા શાકનું કારણુ તા મને સમજાવ. મારૂં કથન તા એ છે કે તારે તો તારૂં કામ કર્યાં જ કરવું, તારૂં રૂપ પ્રગટ કરવું અને પતિને પોતાના મંદિરે ખેંચી લાવવા, પણ વાર્, તારી ઉદાસીનું કારણુ શું છે તે મને બતાવ. સુમતિ કહે છે—અનુભવ! મારી ઉદાસીનું કારણ શું છે તે હું તને કહી સંભળાવું છું તે ખાખર ધ્યાનમાં લઈ તેપર વિચાર કર જો ગમે તેમ તેાપણ ચેતનજી મારા પતિ રહ્યા, તે માયા મમતા જેવી કુલટાઓનાં મંદિશમાં ફર્યા કરે, રખડ્યા કરે અને મારી સામું પણ જુએ નહિ, પણ હું તે તેમની એક પતિવ્રતા સ્ત્રી રહી, તેથી મારાથી કાંઈ પતિના સર્વેથા ત્યાગ થઈ શકે નહિં. સુજ્ઞ પતિવ્રતાના ધર્મ છે કે પતિ તેને ખીજે, લડે કે તિરસ્કર, તેપણુ મનસા વચસા કર્મણા એ પતિના ત્યાગ કરે નહિ, અને છેડે નહિ, એની સેવના એક ચિત્તથી કર્યાં કરે. આ પ્રમાણે હવાથી મારાથી પતિને તજી શકાતા નથી અને અમારા લેાકમાં તેની મશ્કરી થાય છે તે સાંભળી હું મળી મરૂં છું. તું જાણે છે કે મનુષ્ય પાતપાતાના નાના સર્કલ ( વર્તુલ)માં સામાન્ય રીતે સાન પ્રતિષ્ઠા મેળવવા અને તેના સાશ અભિપ્રાય પ્રાસ કરવા પ્રયાસ કરે છે અને તેમાં માનહાનિ ન થાય તેની ખાસ સંભાળ રાખે છે. મારા સમધીએ મહાવ્રત, જ્ઞાનતૃષ્ટિ વિગેરે અનેક છે તે મારા પતિની ઠેકડી કરે છે કે અહા ! જેનાં કુળધર્મ તથા ઠામઠેકાણાં જણાયેલ નથી, જે પ્રત્યક્ષ વ્યભિચારીણી છે, જેનાં વેશ, હાવભાવ અને કટાક્ષ દુઃશીલા શ્રી જેવાં છે તેવી પણ્યની મમતાના સંગમાં એના પિત તા પડી રહે છે, એ તા મૂર્ખ છે, ગાંગ છે, અલહીન છે. આવી રીતે મારી -
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy