SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ આનંદઘનજીનાં પ. कोइ न दूती दलाल विसीठी, पारखी प्रेम खरीद वनावे. परम० २ - હું ગાઉં છું પણ ચેતન એથી પણ મનાતા નથી અને મૂળ વરતુથી જગત વધારી મૂકે છે. વળી વચ્ચે કોઈ હશિયાર હૂતી કે દલાલ પણ નથી જે પ્રેમની પરીક્ષા કરી તેની (પ્રિમની) ખરીદી કરાવે. ભાવ-અહીં પહેલા અને બીજા શબ્દની જગે ફેરવવી પડી છે એટલે અર્થ તાણ પડે છે. હે સખી શ્રદ્ધા! હું આટલું આટલું ગાઉં છું, કહું છું, મેં ચેતનને ખુશી કરવા અગાઉ સારંગ રાગવડે મમતાની સ્થિતિ સમજાવી અને તેવી રીતે તેમને આનંદ આપવા અને મારે વશ કરવા હું અનુપમ ગાન કરું છું પણ એ તે એટલાથી મનાતા નથી અને મારી શેક–કુલટા મમતાને ઘેર ગયા જ કરે છે, એને સંગ જ છોડતા નથી અને મારી સાથે કઠોરપણે વર્તે છે, મારી વાત પણ સાંભળતા નથી. આવી રીતનું વર્તન કરીને તેઓ મૂળ વસ્તુની કિમત કરતાં જગાત-દાણ વધારી મૂકે છે. સામાન્ય રીતે જગાત સે રૂપિયાના માલપર અડધે ટકે કે ટકે હાય છે, કે જગેઓ દેથી બે અને કેટલાંક રાજ્યમાં પાંચ ટકા હોય છે, પણું મારા નાથ તે મૂળ વસ્તુ કરતાં તેનાપરનો બેજે વધારી મૂકે છે એટલે સે રૂપિયાના માલપર બસે પાંચસે કે હજાર ટકા જગાત આપવી પડે એવી સ્થિતિ લાવી મૂકે છે. મમતાના સંગમાં રહી ટુંકા વખતમાં એટલાં બધાં કમોં બાંધે છે કે તેને લઈને દુર્ગતિમાં અને તે કાળ રખડવું પડે છે. હાલ તે તેઓ મમતાના સંગમાં રહીને માહન, ગુણહન ને ગતિસહન મટી જઈ દોષના સ્થાન બની ગયા છે, પણ જ્યારે તેનું ત્રણ ચૂકવવું પડશે ત્યારે તેઓને ખરું ભાન થશે કે આ તે મૂળ વસ્તુને હજારગણા બજા તળે મૂકી દીધી છે અને તે એવી રીતે કે તેને ઊંચે આવતાં પણ બહુ વખત લાગે તેમ છે. અથવા મૂળ વસાત એટલે મૂળ-ડાં માની લીધેલાં સુખની ૨ ચેતન આત્મા ગાત હું ગાવું છું એતએટલેથી. મૂલવસાત મૂળ વસ્તુથી ગાત=રાણુ બઢા વધારી મૂકે છે વિસીડી વિશિષ્ટ, ચાલાક પારખી=પરીક્ષા કરી મિખરીદ પ્રેમને સ બનાવે કરી આપે પદ નવ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy