SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ આનંદઘનજીના પદે. [પદ પર છે, અને પરવર, કદિ સુખ આપતી નથી, આપી શકતી નથી, તેઓ પગલિક વસ્તુમાંથી સુખ મેળવવા ઈચ્છા રાખે છે તે તેઓને પ્રયાસ અને તે બકરીના ગળામાં લટકતા આકૃતિ માત્ર સ્તનમાંથી દૂધ પ્રાપ્ત કરવાના પ્રયાસ જેવું લાગે છે. જેમ બકરીના ગળે રહલ સ્તન નકામા છે તેમ મમતાને સગ નકામો છે અને સદરહુ સ્તનમાંથી દૂધ મેળવવું અશકય છે તેમ મમતાસંગથી સુખ મેળવવું અશક્ય છે. એનું વાસ્તવિક કારણ એ છે કે મારા પતિને ખરેખરા સુખને અચાલ નથી. એ સ્થળ સુખ જે માત્ર માન્યતામાં છે તેમા એટલા બધા આસક્ત થઈ ગયા છે કે વાસ્તવિક સુખનું તેમને સ્વમ પણ આવતું નથી. હું અનુભવ! તું મારા નાથને જાગ્રત કર અને તેઓને સુખને ખ્યાલ આપ આ પદમાં અજાગલસ્તનની સરખામણું મમતાસંગ સાથે અને દૂધની સુખ સાથે કરી છે. દુધ એટલે સુખની ચાહના એ અર્થ પણ થઈ શકે તેમ છે. આ જીવ મમતારૂપ અજાગલસ્તનમાંથી સુખરૂપ દુધ દેહવાની ઈચ્છા રાખે છે. मेरे कहेते खीज न कीजे, तुं ऐसीही शिखावे घहोत कहेते लागत ऐसी, अंगुली* सरप दिखावे. अनुभव०२ “મારા કહેવાથી ગુસ્સે થઈશ નહિ, (કારણકે) તુજ એવું શીખવે છે, વધારે કહેવાથી તે એવું લાગે છે કે જેમ સર્ષની કણ જેવાં આંગળાં દેખાય ભાવ-હે અનુભવ! હું જાણું છું કે તું મારા નાથને મિત્ર છે તેથી હું તેની વિરૂદ્ધની હકીકત કહીશ તે તેને પસંદ નહિ આવે અને તેથી મેં જ્યારે તેને કહ્યું કે મારા પતિ તે બદ્દીના ગળામાં રહેલા સ્તનમાંથી દૂધ દોહવા ઈચ્છા રાખે છે ત્યારે તને કદાચ તારા મિત્રને માટે લાગી આવ્યું હશે, પણ તેમાં બેટું લગાડવાનું કાંઈ * સરપને બદલે “સરગ પાઠાંતર છે આકાશ એ તેને અર્થ થ સંભવિત લાગે છે ૨ કહે કહેવાથી ખી= ઐસી એવી અંગુલી =આગળ સરપસ, એરની કઈ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy