SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ આનંદઘનજીનાં પદે. આવ્યું છે અને શાંત સ્થાનમાં એના લયમાં ગાન થાય છે ત્યારે ઊંડી આધ્યાત્મિક અસર ઉપજાવી શકે એવું તેમાં પલાલિય છે. પદ ૨ જું–રાગ વેલાવલ એકતાલી, रे घरियारी पाउरे, मत घरिय वजावे; नर शीर वांधत पाघरी, तुं कया घरीय वजावे. रेघरि. १ અરે ગાંડા ઘડિયાળી! તું ઘડિને વગાડ નહિ, મનુષ્ય પોતાને માથે પાઘડી એક ચતુથીશ ઘડિ બાંધે છે, તે પછી તે એક આખી ઘડિ શામાટે બજાવે છે? ભાવ-પ્રથમ પદમાં પ્રસાદ ત્યાગ કરી જાગ્રત થવા કહ્યું તેજ હકીકતને વધારે સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી ઘડિયાળીને ઉદ્દેશીને સમયમાત્ર ૫ણું પ્રમાદ ન કરવા સારૂ અત્ર ઉપદેશ આપે છે. આધુનિક ઘડિયાળની શોધ થઈ નહોતી ત્યાંસુધી વખત જાણવા માટે પૂર્વ પુરૂ એક પાણી ભરેલા પાત્રમાં અતિ સૂક્ષમ છિદ્રયુક્ત વાટકી મૂકતા હતા અને તે બરાબર ભરાઈને બૂડી જાય ત્યારે એક ઘડિ (ચાવીશ મિનિટ) થાય એવું ચેકસ માપ કરતા હતા. એ પ્રમાણે એક ઘહિ પૂરી થાય ત્યારે ઘડિયાળી ઘંટ વગાડી ખબર આપતા હતા. અત્યારે જેમ કલાકે કલાકે પહેરેગીર ઘટ વગાડે છે તેમ તે વખતે ઘડિઓ ઘડિએ ઘંટ વગાડવાની ચેજના હતી. એવી જ રીતે કાચની બે શીશીમાંથી અતિ સૂક્ષમ છિદ્રધારા એકમાંથી બીજામાં તમામ રેતી પસાર થાય ત્યારે ઘડિ થયાને ઘંટ વગાડતા. સામાયિકમાં જેવી ઘડિ હાલ આપણે વાપરીએ છીએ તેને પણ સમય જાણવા માટે ઉપચોગ થતું હતું. એ ઘડિયાળને ઉદ્દેશીને કહે છે કે “અરે ભેળા ઘડિયાળી! તું તે શું જોઇને ઘડિવગાડતે હોઈશ? મનુષ્ય તે પિતાના માથે જ પાઘરિ (૩ ઘરિ) અથવા પાઘડી બાંધે છે અને તે ઘડિ આ પદ ઉપર આત્મિક પ્રભાત-આનંદઘનજી મહારાજ અને ઘડિયાળી એ શિર્ષક નીચે થી જૈનધર્મ પ્રકાશ પુસ્તક ૨૬ પૃષ્ઠ ૫૬–૧૪ અને ૮૧-૮૭ મા વિરતારથી વિવેચન કર્યું છે તે જુઓ અત્ર તેનો સાર આપ્યા છે * કેટલીક પ્રામા બતાવે એવા પાઠાતર છે ૧મતનહિ પાધરી પાડી.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy