SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ માં જવા માટે ભય વધતું જાય છે. તે વખતે શાસનની રક્ષા નહીં થાય તે શાસનને નાશ અવશ્ય થવાને, તેમાં જરા શંકા નથી. પૂ. મહાસતીશ્રી સાધ્વીજી મહારાજ સાહેબનું શિયળભંગ કરનારને પૂ. શાસ્ત્રકાર ભગવતેએ કેવા કેવા વિશેષણે આપ્યા છે તે જગત સમક્ષ આપે કહેલા છે. તે વખતે સાંભળનારને, ભયંકર પાપી હોય પણ થોડી ઘણું ગ્યતા હોય તે, પાપથી પાછા ફરવાનું મન થયા વિના રહે નહીં. છતાં મહાસતીઓની પવિત્રતા સચવાય તે મટે ભગવાનની આજ્ઞા મુજબનું નિયંત્રણ મુકવા માટે તૈયારી નથી, તેથી ખૂબ દુઃખ અનુભવું છું. શ્રી રજનીશ અસંયમના વિચારે હતા તે મુજબ જગતમાં અમલ કરાવતે. શ્રીકાનજીભાઈએ તયક્રિયાથી મુક્તિ નથી તેમ કહી અધ્યાત્મની વાત કરી, અને તે મુજબ પ્રમાણિકપણે વર્તન કર્યું. આપે મોક્ષ માર્ગની પ્રરુપણું શાસ્ત્ર અને સિદ્ધાંતને વફાદાર રહી સાધુજીવનની મહત્તા સમજાવી આત્મિક સુખનો મહિમા ગાયે. તેથી જીવનમાં કેટલી શાંતિ રહે છે અને આત્માને કેટલે વિકાસ થાય છે તે પ્રતિપાદન કર્યું. પરંતુ તેને અમલ, શક્તિ મુજબ, પ્રમાણિકપણે આપે નથી કર્યો. તેનો વિચાર હજ કરશે તે પણ લાભ ઘણે થશે. આપના માથે સત્ય વાત કહેનાર કેઈ આજે વડીલ નથી, તેથી સંઘનું મહાન દુર્ભાગ્ય છે. હજ'થેડા સાત્વિક, ચારિત્રસંપન્ન અને મોક્ષના ખપી મહાત્માની હાજરી હોવા છતાં આપને સત્ય વાત નથી કહી શક્તા તેમાં આપને જ અશુભને ઉદય ગણાય કે કેમ, તે તે જ્ઞાનીભગવંતે કહી શકે. સિદ્ધપુરુષને પુન્યને ઉદય હતું તેથી ગંભદ્ર જેવો પવિત્ર માણસ મળી ગો અને તેનું ઠેકાણું પડી ગયું. આપને કેાઈ પુન્ય ઉદય જાગે તે સદ્દબુદ્ધિ જાગે ને શ્રીસંઘનું સંચમરક્ષાનું કામ સારી રીતે થઈ જાય. લોકેને શાસ્ત્ર અને સિદ્ધાંતની ઊચી વાત કરી સમજાવ્યું અને તેને અમલ આપે તેથી વિપરીત કર્યો. તેથી જ પુન્ય જ ખાધું છે તે વાત આપ શાંતચિત્તે વિચારશે તે જરાય અતિશયોક્તિ નથી તેમ લાગ્યા વિના રહેશે નહીં. હવે આયુષ્યને કેઈ ભરોસે નથી. . વિભાગ પહેલો | ૬૧
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy