SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન ચાલવાનું છે. એટલે આરાધક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજેના દર્શન થાય છે ત્યારે સાધુતાની પવિત્રતા જોઈ ખૂબ જ આનંદ થાય છે. આજે દુઃખની વાત એ છે કે ધર્મની સાચી સમજણના અભાવે ખુમારી મરી પરવારી છે. આપે ચાલાકીથી શાસનના રાગી નહીં બનાવતા આપના રાગી બનાવ્યા તેનું પરિણામ છે. આપની પાસે ઘણું શ્રીમંતે-શક્તિ સમ્પન્ન, ભલાળા તેમજ અંધશ્રદ્ધાળું છે તેથી આપે કુશળતાને ઉપયોગ કરી તેઓની ભલમનસાઈને લાભ લીધે છે. અને તેઓના જ હાથે ધર્મના નામે અનુષ્ઠાને કરાવી સાધુતાની પવિત્રતા લૂંટાવી છે, છતાં તેને ધમની પ્રભાવના કહેવામાં આવે છે. આપ પ્રામાણિકપણે શાસ્ત્ર સન્મુખ રાખી વિચારશે તે મારી વાત સત્ય લાગ્યા વિના રહેશે નહીં. આપ ધ્યાનમાં રાખશે કે આપની પાસે અધર્મ ચાલું છે. કયારે બેઆબરૂ કરશે તે કહી શકાય નહીં. અશુભને ઉદય થાય ત્યારે આપને ખ્યાલ આવશે. આપને ત્યારે આપના ગણતા કેઈ સહાય નહીં ! કરે. માટે હવે ચેતી જવાની જરૂર છે. સ્વાથી સાધુઓના તથા શાસનને બેવફા શ્રાવકના બળ ઉપર અત્યાર સુધી જે રીતે અજમાવી છે તેમ જ ભગવાનની આજ્ઞાને છડેચોક ભંગ કરી, ભગવાનની આજ્ઞાની તથા શાસ્ત્ર અને સિદ્ધાંતની વાત કરી, લેકેને આંજી દીધા છે, અને તેમાં ફાવટ આવી ગઈ, પણ કર્મસત્તા પાસે આપની બુદ્ધિ કે શક્તિ કાંઈ કામ આવવાની નથી. આપને કર્મસત્તા ઉપર વિશ્વાસ હોય તે જરૂર વિચારશોજી. આપને આત્મિક કલ્યાણ સાધવું હશે તે મારી વિનંતી ઉપર ધર્મબુદ્ધિથી વિચાર કરવા પડશે, નહીંતર પસ્તાવવાને પાર નહિ રહે. આજે આપને સત્ય હકીકત કહીને, ઉપકારને બદલો વાળવા માટે, આપની આત્મિક ચિંતા કરતે હોવા છતાં, સત્ય હકીકત સંઘ પાસે ન મૂકે ત્યાં સુધી અજ્ઞાન અને દૃષ્ટિરાગી લોકેથી મારે ઘણું સહન કરવું પડે છે. છતાં ધર્મ મારી પડખે હોવાથી તેની સહાયથી ચડતા પરિણામે જીવી રહ્યો છું. સત્ય ખાતર, જિન શાસન માટે અને આત્મહિત ખાતર તેમજ ધર્મનું રક્ષણ કરવા માટે અનંત શક્તિને ધણું શું કરી શકે છે તે પ્રસંગે આપને ખબર પડશે. આપે રામચંદ્રજી અને સીતાજીના પ્રસંગમાં કહેલ છે કે આજની તમારી કૌટુંબિક દશા જોઈને આંખમાં આંસુ આવે છે. તે મર્યાદાઓ જેનામાં નથી એ મર્યાદાઓ તેમને ગમતી નથી તેવા માણસે આર્ય વિભાગ પહેલે | ૫૧
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy