SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તો જ પુન્ય આત્માને કૂતરાના ભાવમાં આવવું પડે પાણીની માફક ખર્ચેલા પૈસા ધૂળ ભેગા થઈ જવાના કેમ વધે તે માટે માર્ગદર્શન આપી સારું પરિણામ લાવશો તો આપે શાસનનું રુણ અદા કર્યું ગણાશે. એમ સાંભળવા મળ્યું છે કે શ્રી શંખેશ્વરજીના સંઘમાં પ્રથમ મુકામે પાણીનો બબે ઊંધી વળી ધૂળમાં પાણું ઢોળાઈ ગયું. આથી વિચાર કરવામાં આવે તે શાસનદેવ સંકેતથી કહે છે કે ધર્મની પ્રભાવનાના નામે ગમે તેટલા રૂપિયા ખર્ચી પણ સાધુતાની પવિત્રતાને અને આચારને નહીં સાચો તે પાણીની માફક ખર્ચેલા પૈસા ધૂળ ભેગા થઈ જવાના છે. આ સત્ય હકીક્ત સ્વીકારવામાં આવશે તે જ કલ્યાણ થવાનું છે અને ધર્મ માટે તે જ આજ્ઞાનું પાલન થશે. ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવવા માટે તેમજ મહાવ્રતના પાલન માટે નવ વાડનું પાલન અને અષ્ટપ્રવચન માતાનું જતન પાળવાની ભાવનાવાળા હશે તે જ સાચી સાધુતા પ્રાપ્ત કરી શકો અને સુંદર આરાધના કરી જીવનને સાર્થક કરશે. તેઓશ્રીને પરમેષ્ઠી પદમાં સ્થાન આપી જગતમાં જૈન સાધુનું કેવું અને કેટલું ઊંચું સ્થાન છે તે બતાવી આપે. તેમજ જે આજ્ઞા પાળવા માટે તૈયાર ન હોય તેમજ સંયમ પાળવા માટે સત્વહીન હોય તેવાઓને બળ આપી ભગવાનના માર્ગમાં સ્થિર થાય તેવા પ્રયતને કરે. તેમ છતાં તેઓના તીવ્ર પાપના ઉદયે આજ્ઞાના પાલન માટે શક્તિમાન ન હોય તેમને એક જુદુ કેઈ નિશાન આપ કે લેકે તેઓને સારી રીતે ઓળખી શકે, જેથી સાચા ધમીં માણસે ઠગાય નહીં તેમજ તેઓ પણ પાપથી બચે. હજુ આપ વિચાર કરશે તે અને મળેલ શક્તિને સદ્દઉપયોગ કરશે તે શાસનનું ઘણું કામ સારું થઈ શકે. પણ તેમાં ઘણે ભેગ આપો પડે. હવે વાતાથી નહીં ચાલે. ખરેખર શાસનનું હિત હૈિયે વસ્યું હશે. તે બગડેલ બાજીને સુધારી શકશે, તેની ખાતરી છે. એ જ વિનંતી. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વન્દના સ્વીકારશે. _ ૪૬ / વિભાગ પહેલે
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy