SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ એકલી સાધુતાને દીપાવે તેવા પકવ્યા હતા તે જૈન શાસનની અપૂર્વ સેવા કરી, જગતમાં પ્રામાણિક્તાને ઊંચો આદર્શ ખડે કરી, જૈન શાસનની પ્રતિષ્ઠા વધારી હત. હજુ પણ છેડે ટાઈમ છે. તેમાં ઘણું કરી શકાય તેમ છે. પાપને ડર લાગે તે જ બની શકે. મહાપુરુષોએ જે પ્રામાણિકતા રાખી તેવી પ્રામાણિકતા રાખી નથી અને તેમની હરોળમાં ખપવા માટે પ્રયત્ન કરવા છે. અજ્ઞાન અને ભેળા લોકો આપને મહાપુરુષ જ માને પણ કર્મસત્તા પાસે આપને દંભ, માયા કે અસત્યપણું કદી ટકવાનું નથી, તેમાં જરાપણ શંકા નથી. - મુનિજીવન શાસ્ત્ર છે. મુનિ જુવે તે શાસ્ત્રમાં દેખાયા. શાસ્ત્રોની વાત કરનારાનું જીવન અંધકારમય હોય ત્યારે તેઓ ગમે તેવી ઊંચી તાની વાત કરી ધર્મપ્રભાવનાના કાર્યો કરાવે, પરંતુ જ્ઞાનીની દૃષ્ટિએ તેના કાર્યોની કોઈ કિંમત નથી. કારણ કે પરિણામો માયાવી નિર્વસી હોય છે તેથી તેમની વાણથી જગત છેતરાય છે અને તેઓને મહાપુરુષનું બિરૂદ આપે છે. તેથી પાપોની પરંપરા વધે છે અને કર્મથી ભારે થતા જાય છે. શાસનને ભયંકર નુકશાન થાય છે. લોકોને સમજાવી દેવાની શક્તિ અને કળાથી ને સ્થાનના અભિમાનથી ઘણુ અન્યાય થયા છે. મહાપુરુષે જેવા મહાન ગુણો હોત તે ધર્મના નામે, શાસનના નામે કે શાસ્ત્રના નામે અસંયમ પોષવા સંઘની છિન્નભિન્નતા કદી થાત નહીં. તેમજ મહાસંયમીઓને ત્રાસ આપવાનું અને વધારે કેમ દુખી થાય તેવી કાર્યવાહી કરવાનું કદી મન થાત નહીં. તેઓને કોઈ ઠેકાણે સ્થાન ન મળે અને વધારે દુઃખી થઈ મારા શરણે આવે તે બધા પાપે ઢંકાઈ જાય. તે માટે સામાન્ય માણસ ન કરે તેવી વૃત્તિ આપે પેદા કરી જે પાપ બાંધ્યું છે તેના પરિણામે કેવા ભેગવવા પડશે તે તે જ્ઞાની જાણે. અસંયમીએ કદી સારાસારને વિચાર કરી શક્તા નથી. તેઓને પોતાના સ્થાનનું મહાન અભિમાન હોય છે. તેથી શાસ્ત્રને વફાદાર રહી શકતા નથી. આપ ભુલી ગયા કે આ દેશ હજુ સંચમને જ રાગી છે. જ્યાં સુધી સંયમના પ્રેમીઓ જીવતા છે ત્યાં સુધી કેઈની તાકાત નથી કે સંયમીઓને દુઃખી કરી શકે. તેમજ સંચમી મહાત્માઓ તેટલા જ સત્વશાળી હતા કે ગમે તેવા તેમજ સાધી કેની રાગી છે ના નથી. ૩૪ / વિભાગ પહેલે
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy