SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્યને આશરો લેવાય તા જ પ્રતિષ્ઠા સચવાય ! ~ આપના અસચમી સાધુઓના ઘણા ત્રાસ હોવાથી હવે તેઓ આરાધના કરવા સારી રીતે રહી શકે તેવી તેમની ચિતિ ન હતી. તેથી તેની સુંદર આરાધના કેમ થાય તે માટે પ્રયત્ન કર્યાં. વ્યવસ્થિત રીતે અસ યમીઓની પુષ્ટિ થાય તેવા દાખલા ઇતિહાસમાંથી સાંભળેલ નથી. આપ જાણતા હોય તા મને ખખર નથી. અત્યાર સુધી આપે દેશનામાં સમજાવેલ છે કે પાપ કરવા કરતાં પાપને છૂપાવવુ' અને તેના બચાવ કરવા તે ભયકર છે. આવી શાસ્ત્રીય વાતા આપે ન સ્વીકારવી તેથી ગમે તેવા પાપા કરે અને છુપાવવા માટે ગમે તેવા કાવાદાવા કરે તેમજ શ્રી કાંતિભાઈ પાપના ખેંચાવ શાસનના હિતના નામે ગમે તેટલા કરે, પરંતુ હવે સત્ય વસ્તુ ચતુર્વિધ સૉંઘમાં જાહેર થઈ ગયેલ છે. એટલે અસત્યના પ્રચાર જેમ વધારે કરશે, તેમાં ભયંકર નુકશાન આપને થવાનું છે. આ રીતે કાંતિભાઇ ચાલું રાખશે તા આપની પ્રતિષ્ઠાના તેમજ આપના આત્મિકઘાત તેમના હાથથી જ થશે તે આપને ટાઈમે ખબર પડશે. આપને સલાહ આપનારે ભગવાનના માર્ગને વફાદાર રહીને, શાસ્ત્ર સામે રાખીને, આપી હોત તા આજે સ્થિતિ આપની પાસે છે તે કદી થાત નહીં. પાપાને ઢાંકવા અને તેને માટે ગમે તેવા અસત્યના ટેકો લેવા પડે તે લેવા, તેવી સલાહ આપનારને ખબર ન પડી કે તેનુ* પરિણામ, અશુભના ઉદય આવશે ત્યારે, ખતરનાક આવશે. આપ મહાન બુદ્ધિશાળી હોવા છતાં તેના સદ્ઘપયાગ કરી શકો તેવી આપની સ્થિતિ રહી નથી. માટે આપ કોઈ મહાન સચમી, શોને વફાદાર આચાર્ય ભગવંતની સલાહ લઈ શાસ્ત્ર મુજબના માર્ગ લેશે. તેમાં આપનુ તથા શાસનનુ હિત છે. જૈન શાસનમાં એક મહાન જૈનાચાય ભગવાનના માર્ગની દેશના ઊંચામાં ઊંચી આપે અને સચમ વિના મુક્તિ કોઈની નથી” તેવી તેમની વાતા સાથે રહેલા સાધુ રાજ સાંભળે, છતાં આવા અસચમી મને અને તેના ભાવપ્રાણ નાશ પામે તથા આપ તેની ઉપેક્ષા કરો તેનું કારણ અસ"ચમના રાગ છે. વિભાગ પહેલા / ૨૧
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy