SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ છે દોષ લાગે તેવું બતાવે કે ગીતાની છાયામાં ગમે તેવા પાપ કરે તે પણ પાપ ન લાગે તેવી સત્તા તેમની પાસે છે કે કેમ? ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવે તે સંવિન સાધુ કહેવાય અને કર્મને અસ યમી થાય તે તેઓ કોઈનું વંદન લે નહીં અને પિતાની જાતને સ કમી કહેવરાવે નહીં તે સંવિન પાક્ષીક કે સાધુ કહેવાય. તેમ ગચ્છાધિપતિ કહે - રાવનારા દેવગુરુની આજ્ઞા ભાંગી અસંયમી બને તે તેમને સંવિગ્ન સધુ કે સંવિન પાક્ષીક સાધુ ગણુય કે કેમ ? સંયમનાશક બન્યા પછી મહાસ યમી કહેવરાવે તે સાધુ નથી, પણ તે સાચા પ્રમાણિક કે ખાનદાન ન ગણાય કે કેમ ? અષ્ટ પ્રવચન માતાનુ જતન અને નવ વાડનું પાલન ન કરે તે સાધુ નથી. દેવગુરુની આજ્ઞા ન માને તે હાડકાંને ઢગલે છે, સ્વછંદ.ચારી છે અને સઘ બહાર છે તેવું કહેનારા શ્રી ગચ્છાધિપતિ અષ્ટ પ્રવચન માતાને મારી નાખે, નવ વાડેનું પાલન ન કરે, દેવગુરુની આજ્ઞા ન માને તે તેઓ પણ સાધુ નથી, હાડકાંનો ઢગલે છે, રવજીંદાચારી છે અને સંઘ બહાર છે તેવું તેઓશ્રીને માટે કહેવાય કે કેમ? કુગુરુ પોતાની જાતને સુગુરુ કહેરાવે તે લૂટારા છે તેવું કહેનાર શ્રી ગચ્છાધિપતિ કુગુરુ જેવું કામ કરે તે લૂંટારા ગણાય છે કેમ ? તૂ તારા જેનું ખાય તેના ઘરમાં ધડ પાડતા નથી, તેમની બેન-દીકરી ઉપર કદી કુદષ્ટિ કરતાં નથી. આજે અસંયમી કુગુરુએ સ ઘનું ખાય સ ઘના જ ઘરમાં ધડ પાડે છે અને સાધવજી તથા બહેનોના જીવન જોખમાય છે, આવી ભયકર સ્થિતિથી બચાવવા તેને ધર્મ કહેવાય કે કેમ ? શ્રી ગચ્છાધિપતિએ ધર્મની રક્ષા માટે કછવા કરાવી સઘમાં ભાગલા થયા હોત તે શાસનનું રૂણ અદા કર્યું ગણત, પણ સાચી સાધુતાને મારી નાખો અસંયમીએ પાકે તેવા માર્ગે ખુલા મુક્યા, અને જગતને મૂર્ખ બનાવવા સંઘના ટુકડા ધર્મના નામે કરાવ્યા, જેથી અસયમ વધી ગયા. આવું ભયંકર પાપ બાંધવા આ કાળમાં તેઓશ્રી સિવાય બીજા કેઈનું ગજુ દેખાતું નથી. તેઓશ્રીએ બુદ્ધિને ઉપયોગ સાધુતાના નાશ માટે જ કરેલ છે. છતાં પાપાનુબંધી પુન્યથી મહાગુરુ કહેવાય છે. જીવનથી સામાન્ય માણસ જેટલી યોગ્યતા ધરાવે છે કે કેમ તે તે જ્ઞાની ભગવંતો જાણે. સાધુના સંયમની ચિંતા કરી નિયમો અને મર્યાદાનું પાલન કરાવવા સ થના આગેવાને પ્રયન નહિ કરે તે અસ યમીએ ને ઉપાશ્રયમાં કે ધર્મસ્થાને માં રાખવા તે ઘણું જોખમ થઈ પડશે ? લી. સ ઘસેવક દીપચંદ વખતચંદના વંદન. વિભાગ ત્રીજો / ૫૧
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy