SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૮૪ સાચી સાધુતાના પુજકેને નમ્ર વિનંતી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે કહ્યું છે કે, “સુગુરૂને સુર તરીકે અને કુગરને કુગુરુ તરીકે ન ઓળખાવે તે સંઘને મહા વિશ્વાસઘાતી છે” તે આધારે જ મારા આ પ્રયાસ છે. જે કોઈ તેને “દંષબુદ્ધિથી કરે છે અથવા શાસનની અપભ્રાજના થાય છે' તેમ કહીને સત્ય વાતને મારી નાખવા પ્રયત્ન કરશે તે તેમાં શાસનને ઘણું નુકશાન થવાનું છે. ખરું તે કાળાકૃત્યોથી જ શાસ ની મેટી અપભાજન થાય છે, અને તેને અટકાવવાથી જૈન શાસનની પ્રતિષ્ઠા વધે છે. શાસ્ત્રના આધારે જ વાત થાય. તેમાં બાંધછોડ હેય નહિ” તેવા આચાર્યશ્રીના વચનને જ આધારે નક્કી થાય છે કે તેઓશ્રી સંવિન સાધુ નથી, સંવિન પાલીક સાધુ નથી તેમ જ સામાન્ય ગૃહસ્થ જેટલી તેમનામાં ખાનદાની નથી. તેમના જીવનથી એ વાત નક્કી કરી શકાય કે કરવી જોઈએ કે જેથી તેઓશ્રી કુગુરુ તરીકે નંબર આવે કે કેમ? આપને ખાત્રી થાય કે કુગુરુ ગણાય તે એવા ગચ્છાધિપતિથી પક્ષનું, સમુદાયનું અને શાસનનું શું હિત/અહિત થાય તે વિચારવાનું આપના ઉપર છોડું છું. ભગવાનને સાધુ અહિંસક, સત્યવાદી, સંયમી, અપરિગ્રહી તેમ જ પ્રમાણિક, સત્યનો પક્ષપાતી, સંયમરક્ષક અને સિદ્ધાંતરક્ષક હેય; અને તે જ સુસાધુ ગણાય. તેથી વિપરીત હેય તે કુગુરુમાં ગણાય. તે ઓળખવા માટે આ વાત મહાપુરુષોએ સ્પષ્ટ કહેલ છે આપણને કુદરતે ઘણું બુદ્ધિ આપી છે. તે બુદ્ધિનો સદુપયોગ કરીએ તે આપણને જ ખાત્રી થઈ જાય તેમ છે. મેં મારી બુદ્ધિથી પરીક્ષા કરી અને સત્ય સમજાયું ત્યારે મેં તેઓશ્રીને છેડી દીધા આચાર્યશ્રીએ કહેલ કે મારામાં સાધુપણું ન હોય તે મને પણ છોડી દેવો” તે વાતને મેં પ્રમાણિક પણે અમલ કર્યો ત્યારે– ગાંડો થઈ ગયો છે, બિચારેકર્મ બાંધે છે, દયા ખાવા જેવો છે. તેમ કહી સમાજને ગેરરસ્તે દોરવા પ્રયત્ન કરે છે. તે જ બતાવી આપે છે કે પ્રમાણિકતા જેવી ચીજ નથી, જે સાધુને માટે કલંક રૂપ છે. સંવિન સાધુ માટે, આ કાળના હિસાબે લીધેલા પાંચ મહાવ્રતને અખંડ રીતે પાને; અને તે માટે દેવ-ગુરુની આજ્ઞાને તથા તેના નિયમોને કડક રીતે પાળવા વિભાગ ત્રીજે | aa
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy