SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ રાગી સાચી પરિસ્થિતિ જાણતા હોવા છતાં એક વ્યકિતનું ગૌરવ ન હણાય તેટલા ખાતર શાસનપક્ષની પ્રતિષ્ઠાને વિચાર ન કર્યો અને મૌન રહ્યા. તેના પરિણામે અસંયમરૂપી વિષવૃક્ષ ઘણું મોટુ થઈ ગયુ. અને ગચ્છાધિપતિને દેવ-ગુરુની આજ્ઞા નષ્ટ કરવામાં પાપાનુબંધી પુણ્યના બળે સફળતા મળતી ગઈ. તેઓશ્રીના માથે કઈ વડીલ નહીં હવાથી, ઘણું અન્યાય કરવા છતાં તેને ન્યાય મળે એવું સ્થાન રહ્યું નહિ સંધમાં સત્વશાળી, સત્યના પક્ષપાતી સુશ્રાવ હોવા છતાં દુષ્કાળ જેવી સ્થિતિ દેખાવા લાગી. તેનું કારણ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ, શ્રી કસ્તૂરભાઈ અમરચંદ જેવા નીડર સંયમરક્ષા કરનારાઓની હાજરીથી સંધ ધણધેરી વગરને બની ગયે. સાધુઓની સ યમરક્ષા કરવા માટે પરમપૂજ્ય પરમ ઉપકારી આચાર્ય ભગવંત વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. તથા બીજા ત્યાગી મહાત્માઓની સુચનાથી શ્રાવક સમેલન શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભ ઈએ શાસનનું હિત જેને હૈયે વસ્યું હતું તેવા શ્રાવાની પ્રેરણુથી બોલાવેલ, સંમેલનથી સાધુઓની પ્રતિષ્ઠા ઘટી જશે તેવી આચા“શ્રીની વાણીમાં વિશ્વાસ રાખી સંમેલનને નિષ્ફળ બનાવવા માટે, શક્તિસંપન્ન શ્રાવાની શક્તિને તેડી નાખવાના પ્રયત્ન થયા. તેના ફળરૂપે આજે સંઘની માબહેન-દિકરીઓ તથા મહાસતી (સાધ્વીજી)ઓને શિયળ ભયમાં છે, તે સ્થિતિ જોવાને વખત અવ્યિો જ્યારે ભુલને સુધારવા સંયમરક્ષા કરનારની શક્તિને મજબુત કરવી તે જ સાચે ઉપાય હતે. વેષધારીઓ-વિષયકષ યમાં રક્ત રહેનારા--સંધનું સત્વ હણી નાખશે તે સાચી સાધુતાના દર્શન દુર્લભ થશે. શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે દશપૂર્વધરે દેવ–ગુરુની આજ્ઞા ભાંગવાથી નિગોદમાં ગયા છે ત્યારે આચાર્યશ્રીનું જ્ઞાન પૂર્વધરે પાસે એક બિન્દુ તુલ્ય છે. તેઓ દેવગુરુની આજ્ઞા ભાગે તે પણ સળતી થાય તેવું કહેનારા એક પણ સજજન માણસ સ ઘમાંથી મળશે નહીં. જગત આખું પાપથી ભરેલ છે. દરેક જ કર્મને વશ છે, માટે દયાપાત્ર છે. તેના પ્રત્યે દ્વેષ કરવો તે ઘણું અજ્ઞાનતા છે તેમ જ્ઞાની ભગવંતો કહે છે. પણ આ કાળમાં ધર્મમાં ઊચુ સ્થાન ગચ્છાધિપતિનું છે. તે સ્થાને બેસનાર પિતાથી સંયમરક્ષા કરવાની ફરજ ન બજાવે અને સંયમને નાશ કરવા માટે શાસ્ત્ર મુજબની શાનીની વ્યવસ્થાને તોડી નાખે ત્યારે એક વ્યક્તિની પ્રતિષ્ઠાની કિંમત નહી આંકતા સંયમ રક્ષા માટે તેઓની પક્કડમાંથી સંધને છોડાવે તે જ સાચો ધર્મ છે, તેમ જ્ઞાની ભગવતે કહે છે. માટે સંયમરક્ષા માટે જાગૃત બનવું જ પડશે. વિભાગ ત્રીજે ૨૯
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy