SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે મહાપવિત્ર તીર્થભૂમિમાં દેવગુરૂની આજ્ઞા ભાંગી, અને પાસે ભગાવી, સાધુઓનાં આચારને નાશ કરાવેલ છે. તે તેઓશ્રીને ભગવાનના માર્ગને નાશ કરતા અટકાવી છેટલી અવસ્થાએ તેમના આત્માની ચિંતા કરનાર શાસનપક્ષમાં છે કે તેઓશ્રીના હિતચિંતકે ? શ્રી ધર્મશાળાના ટ્રસ્ટી ભાઇઓ તથા ચાતુર્માસ આરાધના કરવા પધારેલા ભ ઈએ નો પવિત્ર સેવામાં. શ્રી પાલીતાણા. વિ. વિ. પૂર્વક શ્રી સિદ્ધગિરિ મહાતીર્થમાં ચાતુર્માસ માટે પધારેલા જે ભાઈ બહેનોએ ભગવાનની આજ્ઞાને હદયમાં રાખીને શકિત મુજબ આરાધના કરી તેઓને તથા પૂ. સાધુ ભગવંતે તથા પૂ. સાધ્વીજી મહારાજે જેઓએ દેવગુરૂની આજ્ઞાને જીવંત રાખીને તપ, ત્યાગ, વાધ્યાય આદિ સુંદર આરાધના કરી જીવનને મહાન સાર્થક કરેલ છે તેઓશ્રીને અમારા ક્રોડ ક્રોવાર વંદના છે. શ્રી સિદ્ધગિરિજી ઉપર અનંતા આત્માઓ ભગવાનની આજ્ઞા મુજબની આરાધના કરી મુઠિતપદને તથા સદ્દગતિને પામ્યા છે, તે જ ગિરિરાજની પવિત્ર છાયામાં શ્રી આચાર્યશ્રી વિજયરામચ દ્રસૂરિજી મ. છેલી વૃદ્ધાવસ્થાએ ૪૦૦ સાધુ-સાધ્વીજીને સાથે રાખીને મહાજ્ઞાની બનવા ઉત્કૃષ્ટ કેટીની આરાધના કરશે, તેથી કરેત ભૂલે પ્રાયશ્ચિત કરી જીવનને સાર્થક કરી શાસનપક્ષનું ગૌરવ વધારશે અને દેવગુરુની આશાને ફરી જીવંત કરી સયમની ક્ષિા કરી સાધુઓને સુંદર આચારોનું પાલન કરીકરાવી અનેક આત્માઓની સદ્ગતિ સુલભ બનાવી દેશે અને કેટલું ચાતુર્માસ જૈન સઘમાં યાદગાર તરીકે રહી જશે અને આદર્શ સાધુઓના દર્શન સુલભ બનાવી અપૂર્વ સેવા કરી શ્રીસ ઘનું ઋણ અદા કરશે તથા તેઓશ્રીએ કહેલ કે તીર્થો બગડતા જાય છે તે તીર્થોની આશાતના ટાળવા ભગવાનની અજ્ઞાને નજર સમક્ષ રાખી દરેક કાર્યો દેવગુરૂની આજ્ઞા મુજબ કરશે અને કરાવશે પણ તે આશા ઠગારી નીવડી. યમયાત્રા સાચવીને જ તીર્થયાત્રા કરવાની છે, તે ભગવાનની આજ્ઞાને મારી નાખી અને અત્યાર સુધીના ઇલ અપકને ઢાંકવા માટે તીર્થભૂમિને ઉપયોગ કરી પ્રતિષ્ઠા વધારવા શ્રીમ તેના પૈસાના જોરથી અનેક લેને ખરીદી લીધા અને સાધુ સાવીને ગોચરીની વ્યવસ્થાને 9 કરાવીને પ્રચાર તરીકે સાથે રાખ્યા. અને ૨૧નેક જીવોની હિંસા કરી-કરાવીને પેપર દ્વારા ટી. વી, કિમ, ફોટાઓ આદિ બેરી મેરી જાહેરાત દ્વારા પ્રયત્ન થયા. આ બધા કાર્યો સાધુ માટે કલંકરૂપ છે અને સાધુતાના નાશ માટે છે તેમ કહેનારા શ્રી આચાર્યશ્રીએ તે જ સાધનાને ઉપયોગ કરી-કરાવી તરા ખાંડવા પડયા છે. કારણ કે સંયમનું બળ ખલાસ થઈ ગયું છે તેને પ્રતા૫ છે. ૨૨ ; વિભાગ ત્રીજો
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy