SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણિકતાની આંખ મળી હોય તે જોઈ શકે તેમને ધર્મની સાથે ઈ સંબધ નહી, તેમાં ખાત્રી કરાવવાની જરૂર રહેતી નથી કારણ કે તે પ્રત્યક્ષ દેખાય છે. અપુન બંધક અવસ્થા પહેલાં ગમે તેટલી “ ધર્મ ક્રિયા કરે અને લાખ રૂપિયા ધર્મના નામે ખર્ચે તેની કિંમત જ્ઞાની ભગવંતેએ. કેવી આંકી છે તે આપ શાસ્ત્રના જાણકાર છે તેથી સારી રીતે સમજી શકે છે. અપૂનબંધક અવસ્થામાં સવાર્થ વિસર્જન પહેલા માગે છે, તે ગુણ આવે તે દશા આવી ગણાય. તે આત્મામાં કરુણ, પરમાર્થવૃત્તિ, દાક્ષિણના, અક્ષુદ્રતા, ગંભીરતા, નિલભતા, અત્ય, અમાત્યસર્ય, અભય વગેરે ગુણો બીજના ચંદ્રમાની જેમ દિનપ્રતિદિન વધતા હોય ત્યારે શુકલ પાક્ષિક કહેવાય. ત્યાર પછી સમ્યક્ત્વ પામનારમાં કયા ગુણે હોય, દેશવિરતિ પાંચમે ગુણસ્થાનકે સાધુ –૭ ગુણસ્થા૫ક હોય ત્યારે તેમનામાં કેવા ગુણો હોય, તે શાસ્ત્રદષ્ટિએ મહાપુરૂષોએ કીધા છે અને આપે ખૂબ દેહન કરેલ છે. આવા ગુણવાન પુન્યશાળી શ્રી આચાર્યશ્રીએ પકવ્યા હતા તે આજે ચોથે આરે દેખાત અને તેઓશ્રીએ સંઘનું ઋણ અદા કર્યું ગણત તેમ શ્રીસંધમાં ધર્મના નામે થતે અધર્મ કદી વધી શક્ત નહીં અને આવી અરાજકતા જોવા મળતા નહીં. પરંતુ અરસ-પરસ એક બીજાના વખાણ કરી ધમી તરીકેની ખ્યાતિ મેળવી ફૂલાઈ છે તેવા પકવીને તેમના રાગી બની શાસનને વફાદાર ન રહેતા તેઓશ્રીના પ્રચારક અને એજન્ટ તરીકે કામ કરી અસંયમને પુષ્ટ કરે છે. તેઓ પાપથી કેવા ભારે થાય તેનો નિર્ણય શાસ્ત્રદષ્ટિએ સિદ્ધાંતને વફાદાર રહેનાર મહાત્માએ એ કરવાને છે. આપશ્રીની ખ્યાતિ શ્રીસંઘમાં તત્વચિંતક અને અધ્યાત્મયોગી તરે કેની છે આવા આરાધક મહાત્માઓની હાજરીમાં ધર્મના નામે અધર્મ પાંગરે છતાં ચિતા ન થાય તે કહેવું પડશે કે શ્રીસંઘને તીવ્ર પાપને ઉદય હેય તો જ કેઈ ધર્મ સાચવવામાં સહાય ન કરે. સારા આરાધક મહાત્માઓમાં, શક્તિનું બહાનું કાઢી, શ્રી આચાર્ય શ્રીને સત્ય વાત કહેવા જેટલી હિમત ન હોય તે તેમના કાર્યને ભૂલેચૂકે ટેકે મળી જાય. માટે પક્ષના મહિના કારણે કે એકતાના બહાના નીચે તેમની પ્રતિષ્ઠા વધારવામાં સહાય નહીં કરીએ તે પણ શ્રીસ ઘનું રૂણ અદા કર્યું ગણાય. શ્રી આચાર્યશ્રીને પૂછાવેલ કે આજ્ઞાભંગ કરીને જીવવુ તેના કરતાં ઝેર ખાયને મરવું વધારે સારું તેમ આપશ્રી હજારે માણસની વચ્ચે બેથા છે, અને આપે જ સાધુતાની પવિત્રતાને મારી નાખી આજ્ઞાભંગ કરી, ધર્મને મડદું બનાવી દીધું છે, છતાં આપે કદી ઝેર ખાધું નથી, તે આવા દંભી અને માયાવી શબ્દથી શ્રીસ ઘને દ્રોહ કરે છે તે હું જોઈ શકતો નથી, તે હું ઝેર ખાઈને મરી જાઉ તે આત્મક લાભ કેવા થાય તે જણાવશોજી. પણું જવાબ આવેલ નથી. ૧૦ | વિભાગ બીજે .
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy