SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ મહાવીર સાથે આત્માને લાગવગ, આબાદપણે ઉગી નીકળે છે, જ્યારે બીજા અંતઃકરણમાં તે બીજ વ. ધારે વેરેલાં હોય છે, તે પણ તે ઉગી નહિ નીકળતાં અંદરજ કરમાઈ જાય છે. કેટલાક મનુષ્યને માત્ર પ્રેમમય-દષ્ટિથી જે કહેવામાં આવે છે અને અજાણપણે જ્યાં લઈ જવામાં આવે છે, ત્યાં કાંઈ પણ શંકા વગર તેઓ ચાલ્યા આવે છે, જ્યારે કેટલાક મનુષ્ય એવા હોય છે કે તેમને દરેક રીતે સમજાવવા છતાં, દરેક જાતની ખાત્રી આપવા છતાં નિશાન વગરના તીરની પેઠે તેમને માટે કરેલાં સઘળાં પ્રયત્ન નિષ્ફળ જાય છે. એક અંત:કરણ દુઃખની ભફ્રિમાંથી અને ન ટાળી શકાય તેવી પરતંત્રતામાંથી નમ્રપણે તાબે થઈને ચાલ્યું આવે છે, અને આત્મિક સવરૂપતાને પામે છે, જ્યારે બીજાએ દુઃખ વગરની દિલગીરીની કે મળતા હોવા છતાં તરતજ કઠણ અંતઃકરણમાં ઠરી જાય છે અને તેમના અજ્ઞાનપણામાં વિશેષ વૃદ્ધિ થતી જેવામાં આવે છે. જે કદાચ આવી જાતના ભેદ ભરેલા કારણે બાહ્ય સાધનથી ન જોઈ શકાતા હોય અને તેને અંતરંગ શક્તિની હાજરી કે ગેરહાજરી અસર કરે તેવા કારણે હોય તે તેવા પ્રકારની શક્તિ એક મનુષ્યમાં જોવામાં આવે અને બીજામાં ન આવે જોવામાં આવે તેનું કારણ આપણે કહી શકીશું ? શુ મહાવીરની શક્તિને ઝરે એવી રીતે સંકુચિત રહેતું હશે કે તેને કીંમતી ભાગ અમુકને મળે અને બીજાઓને તે ન મળી શકે ! નબળા અને ભુલ કરનારા મનુષ્ય તરફના સંપૂર્ણ અને કારણ વગરના પ્રેમને સાંસારિક ઉપકારના પ્રેમની સાથે આપણે સરખાવી શકીશું ? જે મનુષ્યના ફેરફારમાં કપાની જરૂર છે, જે તેના વગર સ્વર્ગના દેવતાને બોધ પણ નિષ્ફળ જતે હેય અને તેની સાથે ઘણા નબળા મનુષ્યના વચને ગમે તેવા બેદરકાર મનુષ્ય પર અસર કરતા હોય તે આપણે એ પ્રશ્ન કરવાને નહિ લલચાઈએ કે મહાવીરની કૃપાને વરસાદ પ્રમાણ વગર અપવિત્ર આત્માના સમાજમાં પણ એકસરખી રીતે નથી વરતે? સ્વાર્થીપણાનું વાતાવરણ આત્મા પર ફેલાયેલું રહે છે અને તેથી શ્રેષપણાની-મહત્ત્વની ગ્યતા રહી શકતી નથી એમ જે કહેવામાં આવે તે તેના જવાબમાં એમ કેમ નહિ કહી શકાય કે તે મને હાવીરની શક્તિ એ સ્વાથી પણું કાઢી ઉત્તરમાંથી તેને દક્ષિણમાં કાં ન લાવે? પાપથી મરણતેલ થઈ ગએલે અથવા જીવતાં છતાં ને . PS
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy