SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સાથે આત્માને લાગવગ. નન અનુભવીને પછી પિતાના કેદખાનામાં જાગૃત થવું, ફાંસીની - સવાર જેવી અને સ્વપ્નમાં જેએલું સઘળું હમેશા ગએલું છે એમ યાદ આવવું તથા આજેજ ફાંસીને લાકડે મરવું છે તેમ ત્રાસથી નકકી કરવું તે કેટલું બધું ખરાબ અને દુઃખકારક છે? પરંતુ આથી પણ વધારે ભયંકર અને દુઃખકારક સ્થિતિ જે જગતના સ્વપ્નામાં કદી આવતી નથી તે આમિક અજ્ઞાનવાળા આત્માને જાગૃત થતાં જ જણાય છે અને જ્યારે તેને મહાવીર પરમાત્માના આલંબનથી જ. દગીના સ્વપ્નમાંથી ભય અને અધર્મની સાથે જાગૃત કરવામાં આ- - વે છે અને તે વીર પરમાત્મા પાસે પિતાને ન્યાય કરાવવાને તે ઉભે થાય છે ત્યારે તેને પિતાની પાયમાલ થઈ ગએલી સ્થિતિમાં જ્ઞાન થાય છે અને મહાવીરને પગલે ચાલી મહાવીરપણું પ્રાપ્ત કરવા પાછળ પિતાનું અજ્ઞાન દૂર કરી બાકીનું જીવન તે ગાળે છે અંતમાં મહાવીરપણાને પામે છે. નેટ – આ પ્રકરણમાં જ્યાં જ્યાં પાપ શબ્દ વાપરેલ છે તે કર્મ શત્રુના અર્થમાં છે. લેખક, પ્રકરણ ૩ જુ. મહાવીર સાથે આત્માને લાગવગ. પવન વાય છે અને દરેક મનુષ્ય તેને અવાજ સાંભળે છે પણ તે કયાંથી આવે છે અને કયાં જાય છે તે કોઈ કહી શકતું નથી. તેવીજ રીતે આત્મા છે પણ તે કયાંથી આવે છે અને ક્યાં જાય છે તે કહી શકાતું નથી. આપણે મહાવીર જે ફેરફાર વિષે અત્રે કથન કરે છે તે કાંઈ શરીર સંબંધી છે એમ કરી ધારવું નહિ. તે પણ કેટલેક દરજે માણસના જીવનમાં એવી જાતનું પરાવર્તન થઈ જાય છે કે આશ્ચચંકારક કપના પણ ઘણે વખતે તદ્દન ખરી હોય તે ભાસ થાય છે. જો કે એક બુટ્ટા માણસને માટે બાળક થવું એ અશક્ય છે, ચિંતા અને જોખમદારીથી ઘેરાએલા યુવાન માણસને અથવા ઉમરમાં
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy