SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ૪ શ્રી મહાવીરસવારિ ચરિત્ર. 1 પ્રકરણ ૨૨ કેમકે તેથી જ્ઞાન પરિપકવ થાય છે. આગમ ભણવાના બીન અધિકારી શ્રાવ, પતે સ્વચ્છંદી બની આગમને પિતાની સ્વતંત્ર બુદ્ધિથી, ગમે તેમ અર્થ કરી વાંચે, તે તેમને. તથા શાસનને હિતકતી નથી. ભગવતના સમયમાં શ્રાવકોની સંખ્યા તે ઘણું હતી, પણ ભગવંતની પાસે વ્રત ગ્રહણ કરનારની સંખ્યા એક લાખ ઓગણસાઠ હજારની હતી. તેમાં પણ જેઓ ઉત્તમ હતા, તેમને સંક્ષિસવૃત્તાંત ઉપર આપવામાં આવ્યું છે, એ શીવાય શીવરાજપુરૂષી વિગેરે ઘણા શ્રાવકને વૃત્તાંત આગમમાં છે. તે તમામની હકિકત આપવાથી વિષયાન્તર થવાને ભય રહે છે. તેથી તે નહી આપતાં, ભગવંતના હસ્તે દીક્ષિત શ્રી ધર્મદાસગણિ મહારાજે શ્રી ઉપદેશ માળા નામના ગ્રંથમાં ગાથા ૨૩૦ થી ર૪૬ સુધીમાં, શ્રાવકના ગુણેનું વર્ણન કરતાં કર્તવ્યનું સૂચન કરેલું છે, તે આપવાથી શ્રાવકના કર્તવ્યના અંગે ભગવંતને ઉપદેશ કે હવે તે સમજાય તેથી ફક્ત તે સંક્ષિપ્તમાં નીચે આપવામાં આવેલ છે. ૧ (જિનબિંબને) ત્રણે કાળ વંદના કરે, પ્રધાન સ્તવ અને રસ્તુતિ કરે, તથા શ્રી જિનવરની પ્રતિમાઓ અને તેમના ચિત્યને વિષે અગર પ્રમુખ ધૂપ, માલતી વિગેરે પુપ,અને સુંગધી દ્ર એ અર્ચન (પૂજા) કરવાને ઉદ્યમવાન હેય. . - ૨ જિન ધર્મના વિષે નિશ્ચલ એકાચમતિવાળે, શ્રીજિનેશ્વર શીવાય બીજે દેવ નથી એવી શ્રદ્ધાવાળ, શ્રાવક પૂર્વાપર વિરૂદ્ધ અર્થવાળા કુસમય-કુશાસ્ત્રને વિષે રક્ત થતું ન હોય. ૩ કુત્સિત લિંગધારી બેધાદિકના સ્વયંપાકાદિકમાં વિવિધ પ્રકારે ત્રસ અને સ્થાવર પ્રાણીઓનું મન થતું જોઈને, તથા ઈન્દ્ર સહિત દેવતાઓથી પણ, શ્રાવક શ્રી જિનભાષિત ધર્મ થકી ચળાય માન થતા નથી. શ્રાવક નિરંતર મુક્તિમાર્ગના સાધક એવા સાધુઓને વંદના કરે છે. તેમને પિતાને સંદેહ પુછે છે, અને તેમની પ પાસના સેવા, For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy