________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૭૪
જી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ ધનથી થઈ શકે છે. એ સમ્યકત્વમૂલ બારવ્રતને તથા સાધુના પંચ મહાવતેને ધર્મરત્નની ઉપમા આપવામાં આવેલી છે. એ ધર્મરૂપ રત્નની પ્રાપ્તિ પૂર્વે તે મેળવવાને પ્રાણીઓએ તેના લાયકના કેટલાક ગુણે પ્રથમ મેળવવાના છે માર્થાનુસારીના તથા શ્રાવકના લાયકના ગુણે જેનામાં હોય, તેજ ધર્મરત્ન પામવાને લાયક ગણાય છે. તેઓ જ ધર્મરૂપ રત્ન મેળવી તેનું યથાર્થ પાલન અને રક્ષણ કરી શકે છે, અને તેજ ઉત્તરોત્તર ઉંચ કોટીમાં જવાને શક્તિવાન બને છે. ધર્મરત્નના અથી દેશચારિત્રી તથા સર્વ ચારિત્રી (વ્રતધારી શ્રાવક અને સાધુ ) નાં ચિન્હ ભગવંતે બતાવેલાં છે.
જે કઈ લઘુકમ પુરૂષ એ ધર્મચિન્હ (લિગો)ના ભાવાર્થને સમ્યફ રીતે, મધ્યસ્થપણે, સિદ્ધાંત ગભ યુક્તિઓથી એટલે આગમના પુરાવાવાળી યુક્તિઓથી બરાબર જાણે અને વિચારે, તેજ પ્રાણી મુક્તિ–નિર્વાણ નગરના રસ્તામાં લાગ્યો રહે એટલે ચાલવા માંડે અને તેજ પુરૂષ કુગ્રહ એટલે દુષમ કાળમાં થનાર મતિ મેહરૂપ કુવાઓ કે ખાડાઓમાં, ગતિ કરતાં અટકાવ કરી શકે છે. એટલું જ નહિ પણ આત્મહિતને નુકશાન કરનાર–અનર્થ પેદા કરનાર-પ્રવૃત્તિમાં પડતા બચી શકે છે, અને તેવા પુરૂષોજ સન્માગે ચાલ્યા જાય છે. જે કોઈ આસન્ન મુકિતગામિ છે, ધર્મરત્નને લાચકને ગુણો તથા ધર્મરત્નનું સ્વરૂપ મનમાં ભાવે એટલે વિવેકપૂર્વક ચિંતવે છે, તેઓ જ શુભ શુભતર અધ્યવશાયવાળા, થઈ પાપપંકથી રહિત થઈને નિર્વાણ સુખને પ્રાપ્ત કરે છે, મતલબ સિદ્ધના અનંતસુખ મેળવી શકે છે.
ગૃહસ્થ -શ્રાવકના સામાન્ય ધર્મ—ગુણે-જે માગનુસારીના નામથી ઓળખાય છે, તેના પાંત્રીશ ભેદ છે. તેના પહેલા ગુણમાં ગૃહસ્થ ન્યાયસંપન્નવૈભવ- લક્ષ્મી પ્રાપ્ત કરવાની છે, એટલું જ નહી પણ સર્વ પ્રકારના કાર્યમાં ન્યાયપૂર્વક વર્તવાનું છે, અન્યાયથી ચાલવાનું નથી. અન્યાયથી દ્રવ્ય મેળવવું અથવા અન્યાયથી
For Private and Personal Use Only