SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ભવ. ] ઉપદેશમાળા ગ્રંથથી પ્રતિબંધ. ૪૨૩ છે, એટલી વાતનેજ વિચાર કરવાનો છે. રણમાં મુકવા આવેલી દાસીના મનમાં જે શુભ વિચારો ઉત્પન્ન થયા, અને તેને જીવતે મુકીને તે ચાલી ગઈ, એને આપણે બાલકના શુભ પુણ્યનો વિપાકેદય ન માનીએ તે શું માનીયે ? જેઓ જગત કર્તા ઇશ્વરને માને છે, તેઓ કદાપિ આ બનાવને ઈશ્વરે તેનું રક્ષણ કર્યું એમ માને, તેપણ તેમાં પણ બાળકના શુભ પુણ્યને માનવું પડશે. જેટલાં થાય તેટલાં સારાં કામ કરી પુણ્યરૂપી મુંઢ ભેગી કરવી, એ મનુષ્ય જીવનનું મૂખ્ય કર્તવ્ય છે. કદી સારાં કામ આપણાથી ન બને, તો કદી પણ પાપનાં કામ કરવાના વિચાર કરવા નહી. પાપના કામ કરવાં નહી એ તે મનુષ્યના સ્વાધીનપણની વાત છે. જે એટલું થશે તે પણ અધોગતિ થતી બચશે. રણસિંહ રાજાએ પિતાના મામા જિનદાસગણિ તથા પિતાની માતા વિજયા સાધવીને ઉપદેશથી, ઉપદેશમાળા ગ્રંથને શ્રી જિનદાસગણિ પાસે અભ્યાસ કર્યો છે. પછી તેના અર્થને ચિત્તમાં વિચારતાં તે ભાવિત આત્માને વિચાર થયે કે, “મને ધિક્કાર છે! મેં અજ્ઞાન વશ આ શુ આચર્યું ? ધન્ય છે મહારા પિતાને કે જેમણે મારા ઉદ્ધારને માટે અવધિજ્ઞાનવડે આગામી સ્વરૂપ જાણીને પ્રથમથી જ આ ગ્રંથ બનાવ્યું. આ પ્રમાણે વિચાર પરિવર્તન થવાથી તે રાજા ન્યાય અને ધર્મનું પતિ પાલન કરવા લાગ્યા. પછી કેટલેક કાળે પિતાની મૂખ્ય રાણી કમળવતીના પુત્રને રાજ્ય સ્થાપન કરીને, શ્રી મુનિચંદ્રસુરિ નામાના આચાર્ય પાસે રણસિંહ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું, અને વિશુદ્ધ ચારિત્રનું આરાધન કરી કાળ ધર્મ પામીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. એક વખત પ્રભુના સમવસરણમાં એક ધનુષ્યધારી પુરૂષ પ્રભુની પાસે આવ્યું. પ્રભુની નજિક ઉ. પાંચસે ચારી રહ્યો, અને મનવડેજ પિતાનો સંશય દીક્ષા પ્રભુને પૂછયે. પ્રભુ બેલ્યા, “ અરે ભદ્ર! તારે સંશય વચન દ્વારા કહી બતાવ કે For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy