SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ રીને બાંધવા વાસી વાગ્યા ના શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કુટવા લાગ્યા, ચોર ધારીને બાંધવા લાગ્યા કોઈ કૌતુકથી પ્રભુની તરફ ભસતા શ્વાનને છુટા મુકી કરડાવવા લાગ્યા; એમ બીજાઓ પણ પોત પોતાની મરજી મુજબ અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. પણ પ્રભુ તેથી જરાપણુ વલાની પામ્યા નહી, અને જેમ રોગી મનુષ્ય અતિ ઉગ્ર ઔષધેથી રગને નીગ્રહ થતે જાણ હર્ષ પામે છે, તેમ પ્રભુપણ આવા ઉપસર્ગોથી કમ ખપતાં જાણી, ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય ઉપકારી માની સમભાવમાં રહેતા હતા. એ પ્રમાણે અપાય સહન કરી ઘણું કર્મોની નિર્જરા કરી ને, પ્રભુ આ દેશ તરફ વિહાર કરવા પ્રવૃત થયા. અનાર્ય દેશની સરહદ ઉપર આવેલા પૂર્ણ કલશ નામના ગામની નજીક જતાં કોઈ બે ચાર જેઓ આર્ય દેશમાંથી અનાર્ય ભૂમિ તરફ જતા હતા, તેઓએ પ્રભુને જોયા. પ્રભુનું દર્શન તેમને અપશુકન લાગ્યું. તેથી પિતાની પાસેના ખડગથી પ્રભુના ઉપર પ્રહાર કરવા તેમના તરફ દેડયા. - આ સમયે દેવલોકમાં બેઠેલા ઈદ્રને ચિંતવન થયું કે હાલ વીર પ્રભુ કયાં હશે ? અવધિ જ્ઞાને જોતાં ચોર લેકને ઉપદ્રવ કરતા જોઇ પિતે (ઈંદ્ર ) ત્યાં આવી તેમને ઉપદ્રવ કરતા અટકાવ્યા પ્રભુ વિહાર કરતા કરતા ભદિલપુર આવ્યા. ત્યાં ચાર માસના ઉપવાસ (ચોમાસી ત૫) કરીને પાંચમું ચોમાસું ચાતુમસ કર્યું. ભદિલપુર ચાતુર્માસ પૂર્ણ થયા પછી કાયેત્સર્ગ પારી, પારણું કરી વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતા ઉપદ્ર સહન કરતા પ્રભુ પાષણ અને રત્નમાં, અરણ્યમાં અને નગરમાં, તડકામાં અને છાયામાં, અગ્નિમાં અને જળમાં, ઉપસર્ગ કરનાર અને સેવા ભકિત કરનારમાં નિવિશેષ સમદષ્ટિ રાખતા. વિહાર કરતા શાલિશીર્ષનામના ગામે પધાર્યા અને ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ' For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy